ગુજરાતના 17માં મુખ્યમંત્રી બનતા જ ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં આવ્યા છે, ગઈકાલે પુરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યા બાદ આજે નાગરિકોને ધ્યાનમાં રાખીને ઉચ્ચાધિકારીઓને મહત્વના આદેશ આપ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય
CMની કોન્વોય આવે ત્યારે ઓછો ટ્રાફિક રોકવો
કાફલો પસાર થાય ત્યારે ઓછો ટ્રાફિક રોકવા કહ્યું
ગુજરાત સરકારના નવા મંત્રી મંડળના નામની આજે જાહેરાત થવાની છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચાધિકારીઓને CM કોન્વોય સમયે ટ્રાફિક ઓછો રોકવા માટેના આદેશ આપ્યા છે.
CMની કોન્વોય આવે ત્યારે ઓછો ટ્રાફિક રોકવો
મુખ્યમંત્રીએ અધિકારીઓને જણાવ્યું હતું કે, કાફલો પસાર થાય ત્યારે ટ્રાફિક ઓછો રોકવો. આ સાથે જ જનતાને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેવો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો.
ગઈકાલે જ વિજય રૂપાણીએ સંવેદનશીલતા મુદ્દે આપ્યું હતું નિવેદન
પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના પીઢ નેતા વિજય રૂપાણીએ કહ્યું કે, સંવેદનશીલતા હોવી તે ગુનો નથી. દરેક વ્યક્તિમાં સંવેદનશીલતા હોવી જરૂરી છે અને જે વ્યક્તિમાં તે નથી તે વ્યક્તિ જ નથી.પીડિત કે શોષિત માટે વેદના થવી જ જોઈએ આવું હું ચોક્કસપણે માનું છું.
આજે નવા મંત્રીમંડળના યોજાશે શપથ
સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે, ગુજરાતના નવા મંત્રીમંડળમાં છેલ્લી ઘડીએ નો-રિપીટ થિયરી લાગુ થઈ શકે છે. જેમાં જૂના ચહેરાઓ રિપીટ ન થાય તેવી પૂરી શક્યતાઓ છે. તો નવા ચહેરાઓને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે. આ સાથે જ ધર્મેન્દ્ર સિંહ જાડેજા અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ વચ્ચે બેઠક થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.