કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા રાષ્ટ્રીય એકતા અને અખંડિતાને પ્રોત્સાહન આપવા માટે પદ્મ પુરસ્કારની જેમ સરદાર પટેલ રાષ્ટ્રીય સન્માન શરૂ કરવાની જાહેરાત કરી છે. સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા સન્માન દેશની એકતા અને અખંડિતામાં યોગદાન આપનાર સંસ્થા અને વ્યક્તિઓને એનાયત કરવામાં આવશે.
સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા સન્માનની ગૃહમંત્રીએ કરી જાહેરાત
દેશની એકતા અને અખંડિતામાં યોગદાન માટે અપાશે
PM મોદીએ ગત વર્ષે આ એવોર્ડની કરી હતી જાહેરાત
PM મોદીએ કેવડિયા ખાતે કરી હતી જાહેરાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત વર્ષે ડિસેમ્બરમાં ગુજરાત કેવડિયામાં આયોજિત પોલીસ મહાનિર્દેશકો અને પોલીસ મહાનિરીક્ષકોના વાર્ષિક સંમેલનમાં આ સન્માનની જાહેરાત કરી હતી. સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વ વિખ્યાત પ્રતિમા યૂનિટી ઓફ સ્ટેચ્યુ પણ અહીં લગાવામાં આવી છે.
ગૃહમંત્રાલય દ્વારા જાહેર કરાયું નોટિફિકેશન
ગૃહમંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિફિકેશન અનુસાર 'ભારતનો કોઇ પણ નાગરિક કે સંસ્થા આ સન્માન માટે ધર્મ, સંપ્રદાય, જાતિ, લિંગ, જન્મ સ્થાન, રોજગારના આધાર પર કોઇપણ ભેદભાવ વગર યોગ્ય ગણાશે.' સરકારની અધિસુચનામાં જણાવાયું છે કે સન્માન મેળવનારાઓનું નામ ભારતના રાજપત્ર (ગેઝેટ)માં પ્રકાશિત થશે અને રાષ્ટ્રપતિના નિર્દેશ અનુસાર સન્માન મેળવનાર લોકોના નામની યાદી રાખવામાં આવશે.
કેવા પ્રકારનો હશે સરદાર પટેલ રાષ્ટ્રિય એવોર્ડ
આ સન્માન કમળના પાંદડા આકારનું હશે. જેની લંબાઇ 6 સેન્ટિમીટર, પહોળાઇ 6 સેન્ટિમીટર અને 2 સેન્ટિમીટર, અને જાડાઇ 4 મીલીમીટર જેટલી હશે.
રાષ્ટ્રપતિ પાસે આપવાની અને પરત લેવાની સત્તા હશે
રાષ્ટ્રપતિને આ સન્માન પરત લેવા, નહી આપવો તેમજ રદ્દ કરવાનો અધિકાર રહેશે. આવી સ્થિતિમાં સન્માન મેળવનાર વ્યક્તિ અથવા સંસ્થાનું નામ રજિસ્ટરમાંથી દૂર કરી દેવામાં આવશે. આ પરિસ્થિતિમાં સન્માન મેળવનાર શખ્સ અથવા સંસ્થાએ પદક અને સન્માન ચિહ્ન પરત કરવાનું રહેશે.