અમદાવાદમાં નવા વર્ષની શરૂઆત એટલે કે વર્ષ ર૦ર૦ના પ્રથમ દિવસથી બેન્કનો સમય સવારના ૧૦થી સાંજના ૪ કરવામાં આવ્યો છે. આ સમય દરમિયાન ગ્રાહક કેશની લેવડ-દેવડ કરી શકશે.
બેંકના કામકાજના સમયમાં થયો ફેરફાર
સરકારી બેન્ક-પ્રાઈવેટ બેન્ક અને કો-ઓપરેટિવ બેન્કના સમયમાં થયો ફેરફાર
નવા વર્ષમાં સરકારી બેન્ક-પ્રાઈવેટ બેન્ક અને કો-ઓપરેટિવ બેન્કના ગ્રાહક માટે કેશની લેવડ-દેવડ કરવા માટેનો સમય સવાર ૧૦થી સાંજના ૪ કલાક સુધી કરવામાં આવ્યો છે.
બેંકના કામકાજનો બદલાયો સમય
આ પહેલાં અત્યાર સુધી અલગ-અલગ બેન્કમાં અલગ-અલગ સમય હતો. કોઈ બેન્ક ૧૦ કલાકે, કોઈ બેન્ક ૧૦.૩૦ કલાકે અને કોઈ બેન્ક ૧૧ કલાકે તો કોઈ બેન્ક સવારના ૯.૩૦ કલાકે ખૂલતી હતી અને બપોરે 3 થી ૩-૪પ સુધી કેશની લેવડદેવડ માટેના સમય પણ અલગ અલગ હતા. હવે તે તમામ સમય એકસરખા થઈ ગયા છે, જેથી હવે બેન્ક સવારના ૧૦થી સાંજના ૪ કલાક સુધી કેશની લેવડ-દેવડ માટે ખુલ્લી રહેશે.
સવારના ૧૦ થી સાંજના ૪ કલાક સુધી થઇ શકશે કામકાજ
જિલ્લાની બધી બેન્કને યુનિફોર્મ બેન્કમાં ભેળવવામાં આવી છે. આના કારણે દરેક બેન્કમાં સવારના ૧૦ થી સાંજના ૪ કલાક સુધી ગ્રાહક ખાતામાં પૈસાની લેતી-દેતી કરી શકાશે.
SBI, બેન્ક ઓફ બરોડા, આઈડીબીઆઈ, યુકો બેન્ક, યુનિયન બેન્ક, બેન્ક ઓફ ઇન્ડિયા સહિતની બેન્કનો સમય સવારના ૧૦ થી સાંજના ૪ કલાક સુધી ખાતેદારોની પૈસાની લેતી-દેતી માટે એકસરખો કરાયો છે. આ સાથે કો-ઓપરેટિવ બેન્ક, આઈસીઆઈસીઆઈ, એક્સિસ બેન્ક, HDFC બેન્કમાં પણ સમય એકસરખો જ કરવામાં આવ્યો છે.