ગાંધીનગર: રાજ્યમાં ST વિભાગ દ્વારા આજે 45 નવી વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે. ST વિભાગ દ્વારા અમદાવાદથી રાજકોટ વડોદરા સુરત સુધી નવી વોલ્વો બસની શરૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની હસ્તે નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે 'રાજ્યના છેવાડાના લોકોને પણ કેવી રીતે લાભ પ્રાપ્ત થાય તેને ધ્યાનમાં રાખીને સરકાર વિવિધ યોજનાઓ બનાવી રહી છે. રાજ્યમાં હજારો ખાનગી બસો દોડે છે. એના ભાડા ઊંચા હોય છે. એટલા માટે એસટીએ વધારાની વોલ્વો બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. કંઇ થાય તો સરકાર જવાબદાર છે.'
આ સાથે જ ST વિભાગે લગ્નપ્રસંગ માટેની વિશિષ્ટ બસની પણ શરૂઆત કરી છે. લગ્ન પ્રસંગ માટે અલગ ડિઝાઈનની બસનું પણ લોકાર્પણ કરવામાં આવ્યુ છે. લગ્ન પ્રસંગ ત્યારે હવે ST વિભાગ દ્વારા લગ્નપ્રસંગે રાહત દરે બસ ફાળવવામાં આવશે.