રત્ન શાસ્ત્રમાં દરેક ગ્રહ માટે રત્ન અને અનેક ઉપરત્નો વિશે જાણકારી આપવામાં આવી છે. તેને ધારણ કરવાથી સંબંધિત ગ્રહ શુભ ફળ આપવા લાગે છે. પરંતુ રત્ન ધારણ કરવામાં થયેલી ભૂલથી લાભની જગ્યાએ નુકસાન થઈ શકે છે.
રત્ન ધારણ કરતી વખતે આ વસ્તુનું રાખો ધ્યાન
ભૂલથી પણ ન કરતા આવી ભૂલ
ફાયદાની જગ્યા પર થશે નુકસાન
કુંડળીમાં અશુભ ગ્રહોના કારણે જીવનમાં આવતી સમસ્યાઓને દૂર કરવા માટે વિવિધ ઉપાયો આપવામાં આવે છે. તેમાં રત્ન શાસ્ત્રમાં જણાવવામાં આવેલા રત્નો અને ઉપ-રત્નોનો પણ સમાવેશ થાય છે. વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અનુસાર નિષ્ણાંતો તેને સંબંધિત રત્ન અથવા ઉપ-રત્ન પહેરવાની સલાહ આપે છે.
પરંતુ રત્ન શાસ્ત્રમાં રત્ન ધારણ કરવા અંગે કેટલાક મહત્વપૂર્ણ નિયમો જણાવવામાં આવ્યા છે. જો આ નિયમોનું પાલન કરવામાં ન આવે તો વ્યક્તિને લાભની જગ્યાએ નુકસાન સહન કરવું પડી શકે છે.
આ ભૂલો પડી શકે ભારે
રત્ન શાસ્ત્રમાં કેટલાક રત્નો એકસાથે પહેરવાની સખત મનાઈ છે. એટલે કે જો તમે આમાંથી કોઈ પણ રત્ન પહેર્યું હોય તો તેનાથી વિપરીત રત્નને પહેરવાનું ટાળવું જોઈએ.
જો કોઈ વ્યક્તિએ મોતી પહેર્યું હોય તો તેણે ભૂલથી પણ હીરા, પન્ના, ગોમેદ, લહસુનિયા અને નીલમ ન પહેરવા જોઈએ. કારણ કે મોતીનો સંબંધ ચંદ્ર સાથે છે અને તેને માનસિક તણાવ ઘટાડવા માટે પહેરવામાં આવે છે. જ્યારે હીરા, પન્ના, ગોમેદ, લહસુનિયા અથવા નીલમને મોતી સાથે પહેરવાથી વ્યક્તિ ડીપ ડિપ્રેશનનો શિકાર બની શકે છે.
તેવી જ રીતે જે લોકો લહસુનિયા પહેરે છે તેમણે તેની સાથે માણેક, મુંગા, પોખરાજ અથવા મોતી ન પહેરવા જોઈએ. નહીં તો વ્યક્તિ અનેક પ્રકારની પરેશાનીઓથી ઘેરાઈ શકે છે.
તેવી જ રીતે પન્ના પહેરનારાઓએ તેની સાથે મુંગા અને મોતી ન પહેરવા જોઈએ. નહિંતર પન્ના પહેરવાથી કોઈ લાભ નહીં મળે. તેની સાથે પોખરાજ, મૂંગા અથવા મોતી ધારણ કરવું આર્થિક હાની કરાવી શકે છે.
એ જ રીતે જે વ્યક્તિએ નીલમ ધારણ કર્યું હોય તેણે માણેક, મૂંગા, મોતી કે પોખરાજ ન પહેરવું જોઈએ. જેના કારણે જીવનની સમસ્યાઓ ઓછી થવાને બદલે વધશે.