ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂ (Venkaiah Naidu) ક્યારેય ઉપરાષ્ટ્રપતિ બનવા નહોતા માંગતા. વેંકૈયા નાયડૂની ઇચ્છા ભારતીય જનસંઘના નેતા અને સામાજિક કાર્યકર્તા દિવંગત નાનાજી દેશમુખના પદચિન્હો પર ચાલતા રચનાત્મક કાર્ય કરવાનું હતું.
ઉપરાષ્ટ્રપતિના રૂપે પોતાના બે વર્ષના કાર્યકાળ પર આધારિત પોતાની પુસ્તક 'લિસ્નિંગ, લર્નિંગ એન્ડ લીડિંગ'ના વિમોચન દરમિયાન કહ્યું, 'મારા પ્રિય મિત્રો, હું આપને સાચું કહું તો હું ક્યારેય ઉપરાષ્ટ્રપતિ બનવા માંગતો નહોતો.'
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે એમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સામે પોતાની ઇચ્છા પ્રકટ કરી હતી કે તેમના બીજા કાર્યકાળમાં તે સરકારથી હટવા ઇચ્છે છે. નાનાજી દેશમુખના પદચિન્હો પર ચાલવા માંગે છે અને રચનાત્મક કાર્ય કરવા માંગે છે. વેંકૈયા નાયડૂ (Venkaiah Naidu)એ કહ્યું, 'હું એમના માટે યોજના બનાવી રહ્યો હતો. મને ખુશી હતી કે હું તે કરીશ, પરંતુ તે ન બની શક્યું. એમણે બતાવ્યું કે મેં ઉપરાષ્ટ્રપતિ માટે કેટલાક નામ પણ સૂચવ્યા હતા.'
વેંકૈયા નાયડૂ (Venkaiah Naidu)એ કહ્યું, ' પાર્ટીની સંસદીય દળની બેઠક બાદ અમિત ભાઇ (ભાજપના તત્કાલીન અધ્યક્ષ અમિત શાહ)એ કહ્યું કે પાર્ટીમાં તમામનું માનવું છે કે હું સૌથી ઉપયુક્ત વ્યક્તિ રહીશ. મેં ક્યારેય તેની અપેક્ષા નહોતી રાખી. મારી આંખમાં આંસૂ હતા. એટલા માટે નહીં કે મારું મંત્રી પદ જઇ રહ્યું હતું, જેને હું ક્યારેક છોડવાનો જ હતો.' ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે એમણે માત્ર એ બાબતે પોતાની સંવેદના પર કાબૂ મેળવ્યો હતો કે હવેતે ભાજપા કાર્યાલય નહીં જઇ શકે, અથવા પાર્ટી કાર્યકર્તાઓને નહીં મળી શકે.
એમણે કહ્યું કે તે આંદોલન (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ના ભવિષ્યને લઇે ચિંતિત હતા. જેથી એમની આંખોંમાં આસૂ આવી ગયા હતા. એમણે કહ્યું, 'હું ખુબ જ નાની ઉંમરે આ આંદોલન સાથે જોડાયો અને પાર્ટીએ વડાપ્રધાન પદ સિવાય તમામ આપ્યું. આમ પણ હું આ પદ માટે યોગ્ય નહોતો. હું મારી ક્ષમતા અને પ્રતિભાને જાણું છું.'