આચાર્ય ચાણક્યને રાજનીતિની સાથે સાથે અનેક વિષયોના સલાહકાર માનવામાં આવે છે. ચાણક્યએ નીતિશાસ્ત્ર સાથે જોડાયેલી કેટલીક વાતોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં બિઝનેસને વગતી વાતો પણ છે. ચાણક્ય નીતિ કહે છે કે વ્યક્તિએ પોતાના બિઝનેસને લગતી કેટલીક ખાસ વાતોને ભૂલથી પણ કોઈની સાથે શેર કરવી નહીં, નહીં તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે.
ચાણક્યનીતિમાં કહેવામાં આવી છે આ ખાસ વાત
ભૂલથી પણ ન જણાવો તમારા ધંધાની આ વાતો
આ વાતો શેર કરવાથી થઈ શકે છે નુકસાન
વિરોધીઓ સામે ન કરો આ વાત
આચાર્ય ચાણક્ય કહે છે કે જે વ્યક્તિ તમારા ક્ષેત્ર કે વેપાર અને બિઝનેસની સાથે જોડાયેલા હોય એટલે કે તમારા વિરોધી હોય તેમની સાથે પોતાના વેપારની વાતોને શેર ન કરો. નહીં તો તમારે નુકસાન ભરવું પડી શકે છે.
ભોળા મિત્રો સાથે ન કરો બિઝનેસની વાતો
ચાણક્યના અનુસાર ભોળા મિત્રો એટલે કે જે સીધા હોય તેમની સામે પણ બિઝનેસની સાથે જોડાયેલી વાતો ન કરવી. કેમકે ધૂતારા લાકો સીધા સાદા લોકોને પોતાની વાતોમાં ફસાવીને અનેક વાતો જાણી લેતા હોય છે. એવામાં તમારા વેપારને નુકસાન સહન કરવું પડી શકે છે.
લાલચી સ્ત્રી કે પુરુષ
ચાણક્ય કહે છે કે સ્ત્રી કે પુરુષ લાલચી હોય તો ખાસ ધ્યાન રાખો. ક્યારેય ભૂલથી પણ તમારા બિઝનેસની વાત તેમને ન કરો. આ લોકો પોતાની લાલચમાં આવીને તમને નુકસાન કરી શકે છે.
ઈર્ષ્યાળુ વ્યક્તિઓની સામે વાત ન કરો
ચાણક્ય કહે છે કે ઈર્ષ્યાળુ વ્યક્તિઓની સામે બિઝનેસ સંબંધિત કોઈ વાત કરવી નહીં. ઈર્ષ્યાની આગમાં લોકો હંમેશા નીચું દેખાડવાની કોશિશમાં લાગ્યા રહે છે. એવામાં આ સ્વભાવના લોકોની સામે વેપારમાં નફાની ચર્ચા પણ કરવી નહીં.