વાસ્તુ શાસ્ત્ર અનુસાર ગરમ તવા પર ક્યારેય પાણી ન રેડવું જોઈએ. જાણો આ પાછળના કારણો
ગરમ તવા પર ક્યારેય ન રેડવું જોઈએ પાણી
તાવાનો સંબંધ રાહુ સાથે હોય છે
તવાને સરખી રીતે સાફ કરવો જરૂરી
વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓ, તેમના ઉપયોગથી લઈને તે દિશામાં રાખવામાં આવતી વસ્તુઓ વિષે પણ જણાવવામાં આવ્યું છે. એટલું જ નહીં, વાસ્તુ શાસ્ત્રમાં અમુક મહત્વની વસ્તુઓનાં યોગ્ય ઉપયોગ વિષે પણ જણાવાયું છે. ઉદાહરણ તરીકે કિચનમાં ઉપયોગમાં લેવાતા વાસણો, ઈલેક્ટ્રોનિક આઇટમ્સ વગેરે. લગભગ દરેક ભારતીય ઘરમાં કિચનમાં રોટલી બાનાવવા માટે તવાનો ઉપયોગ થાય છે. આ તવાનો ક્યા પ્રકારે ઉપયોગ કરવો જોઈએ, એ વિષે જાણવું ખૂબ જ જરૂરી છે નહીતર મોટા નુકસાન થઇ શકે છે.
ભારે પડશે ગરમ તવા પર પાણી નાંખવું
ઘરમાં મોટેભાગે વડીલો ઘણી વાતો માટે ના પાડે છે. આ વાતો આપણી સદીઓથી ચાલી આવતી પરંપરાનો ભાગ છે. આમાંથી એક છે ગરમ તવા પર પાણી રેડવું. ગરમ તવા પર પાણી ન રેડ્વુંજોઈએ, આ વાત ઘણા લોકોએ સાંભળી હશે પણ આજે ચાલો જાણીએ આમ શા માટે ન કરવું જોઈએ.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ગરમ તવા પર પાણી રેડવાથી આવતો છન્ન અવાજ સારો માનવામાં આવતો નથી. આ અવાજ ઘરમાં નાકારાત્મકતા લાવે છે. આ ઘરનાં સદસ્યોને કોઈપણ બીમારીનો શિકાર બનાવી શકે છે.
એ પણ માન્યતા છે કે ગરમ તવા પર પાણી રેડવાથી ઘણો વરસાદ થાય છે. આવો વરસાદ બધું નષ્ટ કરી શકે છે. એટલા માટે વડીલો આમ કરવાની ના પાડે છે.
તાવાનો સંબંધ રાહુ સાથે હોય છે
તવાનો સંબંધ રાહુ સાથે હોય છે, એમ માનવામાં આવે છે. એટલા માટે તવાની સાફ સફાઈ, દેખરેખમાંમાં ભૂલ મોટી તકલીફનું કારણ બની શકે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, તવાને કિચનમાં હંમેશા એવી જગ્યાએ રાખવો જોઈએ. જ્યાંથી તે બહારની વ્યક્તિને ન દેખાય.
તવાને હંમેશા સુવડાવીને રાખવો જોઈએ તેને ઉભો રાખવો યોગ્ય નથી. આ ઉપરાંત તવાને ક્યારેય ગંદો ન કરવો જોઈએ. તેનો ઉપયોગ કર્યા બાદ હંમેશા સારી રીતે સાફ કરવો જોઈએ નહીતર એ ગરીબાઈનું કારણ બની શકે છે.
તવાને સરખી રીતે સાફ કરવો જરૂરી
જ્યારે પણ રોટલી બનાવવાનું શરુ કરીએ, ત્યારે તવા પર થોડું નમક છાંટવું જોઈએ. આમ કરવાથી ઘરમાં ક્યારેય પણ ધન ધાન્યની અછત રહેતી નથી. જ્યારે વૈજ્ઞાનિકોની દ્રષ્ટિથી જોઈએ તો તવો કીટાણુરહિત થઇ જાય છે અને તેના પર બનતી રોટલીઓ ખાવાથી બીમારીઓ થતી નથી.