આજે નવરાત્રીનો પહેલો દિવસ છે. 9 દિવસ ચાલતા આ પાવન પર્વમાં દેવી દુર્ગાની ઉપાસના કરવામાં આવે છે. જો તમે પણ વ્રત કરી રહ્યાછો તો જાણી લો વ્રત દરમિયાન સ્વાસ્થ્યમંદ રહેવું પણ જરૂરી છે. ખાણી પીણીથી જોડાયેલા કેટલીક સાવધાનીઓ રાખવી જરૂરી છે જો આવું કરશો નહીં તો તમારા સ્વાસ્થય પર અસર પડશે.
વ્રત દરમિયાન પાણીની બોટલ હંમેશા સાથે રાખો. પાણી પીતા રહેશો તો ડિહાઇડ્રેશનથી બચેલા રહેશો.
દિવસમાં 3 થી 4 વખત ફળનો ઉપયોગ કરો કારણ કે પૂરતાં પ્રમાણમાં પોષણ મળે.
બટાટા અને રાજગરાના લોટથી બનેલી ચીજો ખાવ પરંતુ વધારે સેવન કરવાથી બચો.
પૂજા બાદ સફરજન કેળા નારંગી દાડમ વગેરે પૌષ્ટિક ફળોનું સેવન કરો.
ફળના આહારમાં સફરજન દરરોજ ખાવ આ સફરજન પૌષ્ટિક તત્વોથી ભરેલું હોય છે.
તળેલી અને શેકેલી ચીજ ખાવાથી દૂર રહો.
વ્રતમાં ચા ની જગ્યાએ જ્યુસ અથવા લસ્સી લેવી યોગ્ય માનવામાં આવે છે. ખાલી પેટે ચા પીવાથી ગેસ્ટ્રિકનું જોખમ રહે છે.
તુલસી પાનની ચા વધારે ફાયદાકારક રહે છે. એટલા માટે તુલસી પાનની ચા પીવો.