કંઇક એવી વસ્તુઓને ચાની સાથે લેવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઇ શકે છે.
આપણાં દેશમાં ઘણાં લોકો ચાનાં શોખીન હોય છે. લોકો સામાન્ય રીતે સવારે ચા પીવાનું પસંદ કરે છે તથા ચાની ચુસ્કીઓ સાથે કંઇક ખાવાનું પણ, પરંતુ શું આપ જાણો છો કે ચા સાથે અમુક વસ્તુઓનું સેવન સ્વાસ્થ્ય માટે હાનીકારક હોય શકે છે. જી હા, તમે સાચુ સાંભળ્યું, ઘણાં લોકો કંઇક એવી વસ્તુઓને ચા સાથે લે છે, જે સ્વાસ્થ્ય માટે હાનીકારક હોઈ શકે છે. તો ચાલો મોડું કર્યાં વિના આપને અમે એવી વસ્તુઓ વિષે જણાવીએ જેને તમારે ચા સાથે ન લેવી જોઈએ.
બેસનની બનેલી વસ્તુઓ:
આપણે અવારનવાર જોઈએ છીએ કે લોકોને ચા સાથે પકોડા ખાવા ખુબ જ પસંદ હોય છે, પરંતુ શું આપ જાણો છો કે આ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે.હેલ્થ એક્સપર્ટસનું માનવું છે કે ચા સાથે બેસનની વસ્તુઓ ખાવાથી શરીરમાં પોષક તત્વોની અછત થઇ જાય છે અને એ પાચન સંબંધી સમસ્યાઓ પેદા કરી શકે છે.
ઉકાળેલ ઇંડા:
ઇંડાને પ્રોટીનનો સોર્સ માનવામાં આવે છે, પરંતુ ચા સાથે ભૂલીને પણ ઉકાળેલ ઈંડાનું સેવન ના કરવું જોઈએ. ચા સાથે ઈંડાનું સેવન ખતરનાક હોઈ શકે છે.
હળદર વાળી વસ્તુઓ:
ચા સાથે હળદર વાળી વસ્તુઓનું સેવન ક્યારેય ના કરો. આ બંને વસ્તુઓ એક સાથે રીએક્ટ કરે છે, જેનાંથી પાચન તંત્રને ભારે નુકસાન પહોંચી શકે છે. ચા પીધા બાદ થોડા સમય પછી હળદરવાળી વસ્તુઓ લઇ શકાય છે.
ખાટી વસ્તુઓ:
ઘણાં લોકો ચામાં લીંબુ નીચોવીને લેમન ટી બનાવીને પીવે છે, પરંતુ ચામાં લીંબુની માત્રા વધારે થવાથી એસીડીટી, પાચન તથા ગેસની સમસ્યાઓ થઇ શકે છે. લેમન ટીમાં લીંબુની માત્ર ઓછી રાખો.
કાચી વસ્તુઓ:
ચા સાથે ભૂલીને પણ કાચી વસ્તુઓનું સેવન ન કરો. સલાડ, અંકુરિત અનાજ જેવી કાચી વસ્તુઓને ચા સાથે લેવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે.