હિન્દુ ધર્મમાં વ્રત-તહેવાર કે કોઇ અવસર પર દાન આપવાનું એક આગવું મહત્વ છે પરંતુ સાંજના સમયે કેટલીક વસ્તુ કરવાથી તમને આર્થિક નુકસાન થઇ શકે છે.
સાંજે ક્યારેય ન કરો આ વસ્તુઓનું દાન
લક્ષ્મીજી થઇ જાય છે નારાજ
સાંજ પછી કોઇને પણ મીઠુ દાન ન આપો
દાન પુણ્ય વગર ભગવાનની પૂજા માનવામાં આવતી નથી પરંતુ સુર્યાસ્ત અને તે બાદનો સમય એવો આવે છે જ્યારે કેટલાક કાર્યો ન કરવા જોઇએ, જો એ કરશો તો તમારે આર્થિક કટોકટીનો સામનો કરવો પડશે.
સાંજે ભૂલથી પણ ન કરો આ વસ્તુઓનું દાન
કેટલાક લોકોમાં બીજા વ્યક્તિઓ પાસેથી કપડા લઇને પહેરવાની આદત હોય છે પરંતુ જ્યોતિષ અનુસાર બીજાના કપડા, જૂતા, ઘડિયાળ વગેરે ન પહેરવું જોઇએ. તેનાથી તે નેગેટિવ ઉર્જા તમારામાં પણ આવી જાય છે. જો તમે કોઇ વ્યક્તિ પાસેથી ઘડિયાલ લીધી હોય તો સાંજે ક્યારેય પાછી ન આપવી જોઇએ.
સૂર્યાસ્ત બાદ ક્યારેય પણ કોઇ વ્યક્તિને ઉધાર ન આપો, કહેવાય છે કે માતા લક્ષ્મી સાંજના સમયે જ ઘરે આવે છે અને સાંજે તમે ઉધાર આપશો તો ઘરમાં દરિદ્રતા આવી જશે.
સાંજના સમયે દાનમાં કે આડોસ પાડોશમાં ખાટી વસ્તુઓ ન આપો, તેનાથી ઘરની લક્ષ્મી તેમના ઘરે જતી રહે છે.
સૂરજ આથમ્યા બાદ કોઇને દાનમાં મીછુ અને હળદર ન આપવી જોઇએ, તેનાથી ધનહાનિ થશે.