હિંદૂ ધર્મમાં શ્રાવણની જેમ ભાદરવા મહિનાનું વિશેષ મહત્વ છે. જેવી રીતે શ્રાવણ મહિનામાં સોમવારનું મહત્વ છે. તે રીતે ભાદરવા મહિનામાં રવિવારનું ખાસ મહત્વ હોય છે.
પૂરા ભાદરવા મહિના દરમિયાન રવિવારે સૂર્ય અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભક્તજનોને વિશેષ ફળ મળે છે.
રવિવારે સૂર્ય પોતાની સૌથી વધારે ઉર્જા માટે હોય છે. જ્યોતિષ પ્રમાણે જાતકની કુંડળીમાં સૂર્યની સ્થિતિ ઠીક ના હોય તો તેને સમાજમાં માન-સન્માન મળતુ નથી. જેને લઇને તેને જીવનભરમાં દુખથી પીડાવુ પડે છ, તેને જીવનમાં સુખ-શાંતિ મળતી નથી.
- આ જ કારણે છે કે, રવિવારે કેટલાક ખાસ કામ ન કરવાની સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને ભાદરવાના રવિવારે તો કામ બિલ્કુલ ના કરવુ જોઇએ. આ કાર્યો કરવાથી સૂર્ય ગ્રહના ખરાબ પ્રભાવનો સામનો કરવો પડે છે. એટલા માટે રવિવારના દિવસે કેટલીક બાબતો એવી છે. જેનું ધ્યાન રાખવાથી સૂર્યદેવની કૃપા હંમેશા તમારા પર વરસતી રહેશે.
ભાદરવાના રવિવારે આ કામ કરવાથી બચો:
- રવિવારે સવારે સૂર્યાસ્ત પહેલા મીઠાનો ઉપયોગ ન કરો. આમ કરવુ તે અશુભ ગણાય છે.
- એવુ પણ કહેવાય છે કે રવિવારે રાતે પડે તે પહેલા શારીરિક સંબંધ ના બાંધવો જોઇએ. કોઇ પણ વ્યકિતને આ દિવસે નોન-વેજ ફૂડથી દૂર રહેવુ.
- સામાન્ય રીતે લોકો હેક્ટર કરાવવા માટે રવિવારે પસંદ કરે છે. પરંતુ એવી માન્યતા છે કે રવિવારે હેર કટ કરાવવાથી નુકસાન થાય છે. આ ઉપરાંત આ દિવસે વાળમાં તેલ પણ ના નાખવુ.
- રવિવારે બની શકો તો લાંબુ તેમજ બનેલા વાસણો ખરીદવાથી અને વેંચવાથી બચો.
- આ દિવસે વાદળી, કાળા અને ગ્રે કલરના કપડા ના પહેરો. શક્ય હોય તો જૂતા પહેરવાનું ટાળવું.
- જો આ તમામ બાબતોનું ધ્યાન રાખશો તો તમારે ક્યારેય પણ સૂર્ય ગ્રહની ખરાબ દ્રષ્ટિનો સામનો નહી કરવો પડે. સૂર્ય ભગવાનની કૃપા હંમેશા તમારા પર રહેશે.