જ્યોતિષ શાસ્ત્રમાં કોઈ પણ રત્ન અને ધાતુને પહેરવા પહેલા જ્યોતિષ પાસેથી સલાહ લેવી જરૂરી છે. કહેવાય છે કે કોઈ પણ ધાતુ પોતાનું શુભ પરિણામ ત્યારે જ આપે છે જ્યારે તેને યોગ્ય નિયમો અને યોગ્ય વ્યક્તિ ધારણ કરે છે.
જ્યોતિષની સલાહથી ધારણ કરો કોઈ પણ ધાતુ
શુભ પરિણામ માટે આ નિયમો કરો ફોલો
જાણો તેના વિશે અમુક ખાસ વાતો
વ્યક્તિની કુંડળી અને ગ્રહોની દશાના આધાર પર જ તેને રત્ન અથવા કોઈ પણ ધાતુ ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. જો તમે પણ કોઈ ધાતુ ધારણ કરવાનું વિચારી રહ્યા છો તો સૌથી પહેલા તમારી કુંડળી કોઈ જ્યોતિષને બતાવો કારણ કે દરેક ધાતુ દરેક વ્યક્તિ માટે લાભદાયી નથી હોતુ. ઘણી કોઈના જણાવ્યા અથવા સુચન બાદ કોઈ વ્યક્તિ ધાતુ ધારણ કરી લે છે. જ્યાર બાદ તેમને ઘણા પ્રકારની નકારાત્મકતાનો સામનો કરવો પડી શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આજે આપણે જાણીએ કે તાંબું ધારણ કર્યા પહેલા કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. કોઈ પરિસ્થિતિઓમાં તેમને શરીરથી ઉતારીને અલગ કરી દેવું જોઈએ. તાંબુ કયા દેવની ધાતુ છે અને તેને પહેરવાથી શું ફાયદો થશે. આવો જાણીએ...
તાંબુ ધારણ કર્યા પહેલા જાણી લો આ નિયમ
તાંબુ ધારણ કર્યા પહેલા જણાવી દઈએ કે તાંબુ સૂર્ય દેવની ધાતુ છે. એવામાં જે લોકોનો સૂર્ય કમજોર હોય છે અને સૂર્યને શુભ ફળોની પ્રાપ્તિ માટે તાંબુ ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે.
સૂર્ય દેવ એક એવા દેવ છે જે નિયમિત રીતે ભક્તોને સાક્ષાત દર્શન આપે છે. જણાવી દઈએ કે સૂર્ય દેવને આર્ધ્ય પણ તાંબાના પાત્રમાં જ અર્પિત કરવામાં આવે છે. પરંતુ જો તમે ખરાબ પરિસ્થિતિઓમાં તાંબુ ધારણ કરી લો છો તો તમને તેમને તેનું અશુભ પરિણામ મેળવવું પડી શકે છે. તેના માટે તાંબાના આભૂષણ પહેરવા પહેલા જ અમુક વાતોને જરૂર ધ્યાન રાખો.
જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે તાંબાના આભૂષણ, વીંટી કે કડા વગેરે પહેરીને સ્ત્રીને શારીરિક સંબંધ ન બાંધવા જોઈએ. આમ કરવાથી ખૂબ જ અશુભ પરિણામ મળે છે. જો કોઈ આમ કરે છે તો તેને ઘણા પ્રકારની સમસ્યાઓ ઘેરવા લાગે છે. આટલું જ નહીં વ્યક્તિનું જીવન કષ્ટમય થઈ જાય છે.
આટલું જ નહીં તાંબાની વીંટી ધારણ કર્યા બાદ વ્યક્તિને ખોટા કામ ન કરવા જોઈએ અને ખોટુ ન બોલવું જોઈએ.