મની પ્લાન્ટને આર્થિક સમૃદ્ધિ સાથે જોડવામાં આવે છે. પરંતુ ઘરમાં મની પ્લાન્ટ લગાવતી વખતે અમુક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
ઘરમાં મની પ્લાન્ટ લગાવ્યો છે તો ખાસ વાંચો
ભૂલથી પણ ન કરતા આવી ભૂલો
થઈ શકે છે મોટુ નુકસાન
વાસ્તુ શાસ્ત્રમાં અમુક છોડનું ખાસ મહત્વ છે. તેને ઘરમાં લગાવવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. તેમાંથી જ એક છે મની પ્લાન્ટ. આ છોડને ઘરમાં લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ તેને લગાવતી વખતે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આવો જાણીએ મની પ્લાન્ટ લગાવતી વખતે કઈ વાતોનું તમે ધ્યાન રાખશો.
આ દિશામાં લગાવો મની પ્લાન્ટ
મની પ્લાન્ટ યોગ્ય દિશામાં લગાવવું ખૂબ જ જરૂરી છે. તેને દક્ષિણ-પૂર્વ એટલે કે આગ્નેય કોણમાં લગાવવું શુભ માનવામાં આવે છે. તેને ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન કોણમાં ન લગાવો. તેનાથી ઘરમાં રહેતા સદસ્યો પર નકારાત્મક પ્રભાવ પડે છે. ઘરના પશ્ચિમ અને પૂર્વ દિશામાં પણ મની પ્લાન્ટ ન લગાવવું જોઈએ.
જમીનને સ્પર્શ કરે તે રીતે ન રાખો મની પ્લાન્ટ
મની પ્લાન્ટ ખૂબ જ ઝડપથી વધે છે. તેની વેલને દોરીથી ઉપરની તરફ બાંધી દો. વાસ્તુ અનુસાર આ પ્રસિદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ છોડને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. માટે મની પ્લાન્ટને જમીન પર સ્પર્શ ન થવા દો.
મની પ્લાન્ટને સુકાવવા ન દો
મની પ્લાન્ટનું સુકાઈ જવું દુર્ભાગ્યનું પ્રીતક માનવામાં આવે છે. તેનાથી ઘરની આર્થિક સ્થિતિમાં ખરાબ અસર પડે છે. માટે સમય રહેતા તેની સારવાર કરતા રહો. પાન જો સુકાઈ જાય તો તેને કાપી નાખો.
બીજાના ઘરથી ન લો મની પ્લાન્ટ
ક્યારેય પણ કોઈના ઘરમાંથી મની પ્લાન્ટને તોડીને પોતાના ઘરે ન લાવો. તે ઉપરાંત પોતાના મની પ્લાન્ટને પણ કોઈને ન આપો. વાસ્તુ અનુસાર આમ કરવું ખોટુ માનવામાં આવે છે. જો કોઈ બીજાના ઘરમાં કોઈ મુશ્કેલીઓ હશે તો તે મની પ્લાન્ટ દ્વારા તમારા ઘરમાં આવી જશે.