મહાશિવરાત્રી હિન્દુ ધર્મમાં ભગવાન શિવ પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધાનું પર્વ માનવામાં આવે છે. શુક્રવાર, 21 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ છે. આ દિવસે ભોળેનાથને પ્રસન્ન કરવા માટે ભક્તો સાચાં મનથી મંદિરે દર્શન કરવા જાય છે અને પૂજા અર્ચના કરે છે. આમ તો શિવજી ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. પણ ઘણીવાર ભક્ત શિવજીની પૂજામાં કેટલીક એવી ભૂલો કરી દેતો હોય છે, જેના કારણે તેમની પૂજા અધૂરી માનવામાં આવે છે અથવા તો એ પૂજાનું ફળ ભક્તોને મળતું નથી. જેથી તમે આવી ભૂલોથી બચી શકો તે માટે ચાલો જાણીએ આ દિવસે શું ન કરવું અને શું ધ્યાન રાખવું.
21 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ છે.
શિવરાત્રીએ શિવજીની પૂજા કરવાનું ખાસ મહત્વ
મંદિરે જાઓ તો ભૂલથી પણ ન કરતા આ ભૂલો
આ રીતે ભગવાન શિવની પરિક્રમા કરવી નહીં
ભગવાનના દર્શન કર્યા બાદ પરિક્રમા જરૂરી હોય છે. નહીં તો ભગવાનના દર્શન અધૂરા માનવામાં આવે છે. પણ ધ્યાન રાખવું કે પરિક્રમા અધૂરી છોડવી નહીં અને હમેશાં જમણી બાજુએથી શરૂ કરવી અને જ્યાં ભગવાનને અર્પણ કરેલું જળ બહાર નીકળે છે ત્યાં જઈને પાછાં આવી જાઓ. આ રીતે પરિક્રમા પૂરી કરો.
જળ સ્થાનને ઓળંગવું નહીં
એવી માન્યતા છે કે, જ્યાંથી શિવલિંગ પર અર્પણ કરેલું જળ બહાર નીકળે છે ત્યાં ઊર્જા અને શક્તિનું પરમ ભંડાર હોય છે. આ સ્થાનને ઓળંગવા પર શારીરિક ક્રિયાઓ પર ખરાબ અસર થાય છે. આ જ કારણથી આ સ્થાનને ઓળંગવું નહીં. જેથી પરિક્રમા કરતી વખતે આ વાતનું ધ્યાન રાખવું.
આ રીતે ન ચઢાવો પ્રસાદ
ભગવાન શિવના મંદિરમાં જ્યારે તમે પ્રસાદ ચઢાવો તો ક્યારેય પ્રસાદ શિવલિંગની ઉપર રાખવું નહીં. એવી માન્યતા છે કે, શિવલિંગની ઉપર રાખેલો પ્રસાદ ગ્રહણ કરી શકાતું નથી અને પૂજામાં દોષ લાગે છે.
શંખનો ઉપયોગ ન કરવો
ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ ભૂલથી પણ કરવો નહીં. તેનાથી ભગવાન રિસાઈ શકે છે. એવી માન્યતા છે કે, શિવજીએ શંખચૂડ નામના દૈત્યનું વધ કર્યું હતું અને શંખને એ જ રાક્ષસનું પ્રતિક માનવામાં આવે છે.
આ ફૂલનો ઉપયોગ ન કરવો
ભોળેનાથની પૂજામાં કેસર, માલતી, ચંપા, જાસ્મિન, કુંદ, જુહી વગેરે ફૂલો અર્પણ કરવા નહીં. શિવજીને શમી, આંકડાના ફૂલ, પલાશ અને સદાબહાર ફૂલ પ્રિય હોય છે. પૂજાપાઠમાં આ ફૂલોનો ઉપયોગ કરવો.
અક્ષતનો પ્રયોગ
ભગવાન શિવજીની પૂજામાં અક્ષતનો ઉપયોગ ફરજિયાત છે. પરંતુ ધ્યાન રાખવું તે અક્ષત (ચોખા) તૂટેલા ન હોય. શાસ્ત્રો મુજબ તૂટેલા ચોખા અપૂર્ણ અને અશુદ્ધ હોય છે, જેથી તે શિવજીને અર્પણ કરી શકાય નહી.