ભગવાન શિવની સાધના અત્યંત જ સરળ અને જલ્દી ફળ આપનારી છે. પરંતુ તેમની પૂજામાં જાણ્યે અજાણ્યે થતી ભુલ ઘણી વખત આપણને પુણ્યની જગ્યા પર પાપના ભાગીદાર બનાવે છે.
શિવપૂજામાં ન કરતા આ ભૂલ
ભોલેનાથ થઈ જશે ક્રોધિત
જાણો પૂજાના નિયમો
હિન્દુ ધર્મમાં ભગવાન શિવને કલ્યાણના દેવતા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે પણ ઘરમાં ભગવાન શિવની પૂજા વિધિ-વિધાન અનુસાર કરવામાં આવે છે, ત્યાં શુભ અને સમૃદ્ધિનો વાસ રહે છે. મહાદેવની કૃપાથી તે ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિ રહે છે અને ભૂલથી પણ શિવ સાધકના જીવનમાં દુ:ખ અને દુર્ભાગ્ય આવતા નથી. જો કે સનાતન પરંપરામાં શિવની પૂજા ખૂબ જ સરળ માનવામાં આવે છે, કારણ કે ભગવાન શિવ તેમના ભક્તોની તમામ મનોકામનાઓને માત્ર પાણી અને થોડાં પાન ચડાવીને પૂર્ણ કરે છે, પરંતુ તેમની પૂજા સાથે સંબંધિત કેટલાક ખાસ નિયમો છે. દરેક શિવભક્તે હંમેશા તેનું પાલન કરવું જોઈએ.
ઈશાન દિશામાં રાખો પૂજા સ્થાન
જો તમે ભગવાન શિવના ભક્ત છો, તો તમારે તેમની પૂજા કરતી વખતે દિશાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ભગવાન શિવની મૂર્તિ કે ચિત્ર કોઈપણ દિશામાં ન મુકો, પરંતુ ઘરની ઈશાન દિશામાં તમારું પૂજા સ્થાન બનાવો અને તેને પવિત્રતા સાથે રાખો અને દરરોજ તેમની પૂજા કરો. હંમેશા ધ્યાન રાખો કે શિવલિંગ તમારા ઘરની શોભા વધારવા માટે નથી સાધના માટે છે, જો તમે આ નિયમની અવગણના કરશો તો તમે પુણ્યની જગ્યાએ પાપના સહભાગી બની શકો છો. ભગવાન શિવની પૂજા હંમેશા પૂર્વ કે ઉત્તર તરફ મુખ કરીને કરવી જોઈએ.
વારંવાર ન બદલો શિવલિંગનું સ્થાન
ઘરના એવા ખૂણામાં ક્યારેય પણ શિવલિંગ ન રાખવું કે જ્યાં પૂજા અને દર્શન ભાગ્યે જ શક્ય હોય અને જો એક વખત શિવલિંગની સ્થાપના કરી દેવામાં આવે તો તેને વારંવાર બદલવાની ભૂલ ન કરો.
રૂદ્રાક્ષની માળાથી કરો જાપ
જો તમે મહાદેવના આશીર્વાદ મેળવવા માટે કોઈ મંત્રનો જાપ કરી રહ્યા હોવ તો હંમેશા તેમને પ્રિય માનવામાં આવતી રૂદ્રાક્ષની માળાથી જાપ કરો. એવું માનવામાં આવે છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુમાંથી થઈ છે, જેને તે પોતે હંમેશા ધારણ કરે છે, પરંતુ ધ્યાનમાં રાખો કે તમે જે માળા સાથે ભગવાન શિવના મહામંત્રનો જાપ કરો છો તે ક્યારેય ન પહેરો. ભગવાન શિવના જાપની માળા બાજુ પર રાખો અને તેને ગોમુખીમાં મૂકીને જાપ કરો.
હંમેશા પોતાના આસન પર બેસીને જ પૂજા કરો
જમીન પર બેસીને મહાદેવની સાધના ક્યારેય ન કરવી. તેમની પૂજામાં શુદ્ધ મુદ્રાનો ઉપયોગ કરો. જો શક્ય હોય તો એક જ આસન પર બેસીને શિવની પૂજા કરો. હંમેશા ધ્યાન રાખો કે પૂજામાં હંમેશા પોતાના જ આસનનો ઉપયોગ કરવો જોઈએ, બીજાના આસન પર બેસીને ક્યારેય પૂજા ન કરવી જોઈએ અથવા કોઈની માળાથી શિવના મંત્રનો જાપ કરવો જોઈએ નહીં.
આ રીતે ચઢાવો બીલીપત્ર
ભગવાન શિવને અતિ પ્રિય બીલીપત્ર અને શમી પત્ર ચઢાવવાનો પણ નિયમ છે. જ્યારે પણ તમે ભગવાન શિવની પૂજા કરો ત્યારે બીલીપત્ર અને શમી પત્રને શુદ્ધ પાણીથી ધોઈને તેની પાછળના દાંડીના જાડા ભાગને તોડી નાખો જેને વજ્ર કહેવાય છે અને તેને શિવલિંગ પર અથવા તેના ફોટા પર ઊંધું ચઢાવી દો.
ક્યારેય ન ચઢાવો વાસી ફૂલ
ભગવાન શિવની પૂજામાં ક્યારેય વાસી ફૂલ ન ચઢાવો. શિવની પૂજામાં હંમેશા તાજા ફૂલ ચઢાવો અને બીજા દિવસે શિવલિંગ પર વાસી ફૂલ ન રહેવા દો. વાસી ફૂલોને સમયસર શુદ્ધ ગંગાજળથી સ્નાન કરીને દૂર કરો. મહાદેવની પૂજામાં તલ અને ચંપાના ફૂલનો ઉપયોગ કરવામાં આવતો નથી તેથી તેને ભૂલથી પણ અર્પણ ન કરો.
શિવ પૂજામાં આ વસ્તુઓનો ન કરો ઉપયોગ
જે શંખ અને તુલસી વગર ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી માનવામાં આવે છે તે પવિત્ર શંખ અને તુલસીનો ઉપયોગ ભૂલથી પણ ભગવાન શિવની પૂજામાં ન કરો. કારણ કે આ બન્ને વસ્તુઓ શિવ પૂજામાં ઉપયોગમાં લેવામાં નથી આવતી. આ રીતે શિવની પૂજામાં હળદળ અને સિંદૂર પણ ન ચઢાવવું જોઈએ.