મોટાભાગના હિંદુ ઘરોમાં રોજ અગરબત્તી-ધૂપ કરવાની પ્રથા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, હિંદુ ધર્મમાં મંદિરમાં અગરબત્તી કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરવામાં આવ્યો છે જાણો આ પાછળનું કારણ...
વિશ્વનો સૌથી પ્રાચાની સનાતમ ધર્મ જણાવે છે કે, અગરબત્તી એવી વસ્તુ જે માણસની ચિતા પર પ્રગટાવવામાં આવે છે. તો આ રીતે ઇશ્વર અગરબત્તી પ્રગટાવવાથી કેવી રીતે પ્રસન્ન થઇ શકે?
સનાતન ધર્મ જણાવે છે કે બાંબૂ એટલે કે વાંસ તમારા પરિવારનો વંશ સૂચવે છે. તેને પ્રગટાવવું એટલે જાણે કે તમારા વંશને આગ ચાંપવી. અગરબત્તી પ્રગટાવવાને કારણે પિતૃદોષ થાય છે અને તેની તમારી આવનારી પેઢી પર અવળી અસર પડે છે.
વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ ઘરમાં અગરબત્તી પ્રગટાવવી હાનિકારક છે. અગરબત્તીમાં અમુક પ્રકારના કેમકિલ રહેલા હોય છે, જે નેગરિટ એનર્જી ઉતપન્ન કરે છે.
સુગંધ માટે અગરબત્તી બનાવનારાઓ તેમાં પોલિએરોમેટિક હાઈડ્રોકાર્બન્સ ઉમરે છે. આ કારણે અસ્થમા, કેન્સર, માથાનો દુખાવો અને કફની સમસ્યા ઉભી થાય છે.
હિન્દુ ધર્મમાં વાંસ સળગાવવો અશુભ માનવામાં આવે છે. તેને કારણે પિતૃદોષ થાય છે. શાસ્ત્ર અને પુરાણો ક્યાંય અગરબત્તી પ્રગટાવવાનું નથી જણાવવામાં આવ્યું. વાંસની સળીઓને પ્રગટાવવાનો પણ ક્યાયં ઉલ્લેખ નથી.