નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટર્ડમની સુંદરતા, નાનાં નાનાં ઘર અને પહોળી નહેરો લોકોને ખૂબ જ પસંદ છે. અહીં દર વર્ષે લાખો લોકો ફરવા આવે છે. પર્યટકોની વધતી સંખ્યાના કારણે શહેરમાં રહેતા લોકો પરેશાન છે. હવે સરકારે નેધરલેન્ડને પર્યટક દેશ ગણાવનાર જાહેરાત પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.
એમ્સ્ટર્ડમઃ નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટર્ડમની સુંદરતા, નાનાં નાનાં ઘર અને પહોળી નહેરો લોકોને ખૂબ જ પસંદ છે. અહીં દર વર્ષે લાખો લોકો ફરવા આવે છે. પર્યટકોની વધતી સંખ્યાના કારણે શહેરમાં રહેતા લોકો પરેશાન છે. હવે સરકારે નેધરલેન્ડને પર્યટક દેશ ગણાવનાર જાહેરાત પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. એમ્સ્ટર્ડમમાં રહેનારા લોકો ખુદ પર્યટકોને અપીલ કરી રહ્યાં છે કે તેમના દેશમાં ન આવે ને ક્યાંક બીજે જાય.
તેનું કારણ એ છે કે એમ્સ્ટર્ડમમાં ઘણી બધી સાઇકલો ચાલે છે. તેથી અહીં ભીડભાડવાળો ટ્રાફિક હોતો નથી. તેનો ફાયદો ઉઠાવીને પર્યટકો રસ્તાઓ પર પણ રમવાનું મેદાન બનાવી લે છે. ડચ આર્કિટેક્ચરલ ફર્મ ઓએમએની પાર્ટનર એલન વાન લુલ કહે છે કે અમારી પર ખાસ્સું દબાણ છે. અમે વેનિસ બનવા ઇચ્છતા નથી. એમ્સ્ટર્ડમને લોકો ખૂબ જ પ્રેમ કરે છે અને અહીં ફરવા આવે છે.
એલન એમ પણ કહે છે કે ટૂરિઝમથી નેધરલેન્ડને વાર્ષિક છ લાખ કરોડ રૂપિયા મળે છે, પરંતુ વધુ પર્યટકોથી શહેરનો આત્મા મરી રહ્યો છે. ઇટલીના વેનિસ અને યુરોપનાં બીજા પર્યટક સ્થળોની જેમ એમ્સ્ટર્ડમમાં લોકો ઊમટી રહ્યા છે. તેનું કારણ એરલાઇન્સનું એમ્સ્ટર્ડમ જતી ફ્લાઇટનું ઓછું ભાડું છે. અહીં ગયા વર્ષે એક કરોડ એંસી લાખ પર્યટકો આવ્યા હતાં.
૨૦૩૦ સુધી આ સંખ્યા ચાર કરોડ વીસ લાખ પર પહોંચવાની વાત કહેવાઇ હતી. એમ્સ્ટર્ડમની હાલની જનસંખ્યા ૮.૨૨ લાખ છે. એમ્સ્ટર્ડમ પ્રશાસને આ વર્ષની શરૂઆતમાં પર્સપેક્ટિવ ૨૦૩૦ રિપોર્ટ જારી કર્યો હતો, જેમાં સરકારનું ફોકસ આ ક્ષેત્ર માટે ડેસ્ટિનેશન પ્રમોશનના બદલે ડેસ્ટિનેશન મેનેજમેન્ટનું છે. ડોક્યુમેન્ટમાં દેશમાં પર્યટકોની વધતી સંખ્યા રોકવા માટે પણ રણનીતિ બનાવાઇ હતી. તે મુજબ જો ટૂરિસ્ટને જો રોકવામાં નહીં આવે તો તેના ગંભીર પરિણામો ભોગવવાં પડશે.