નેતાજીને મન દેશની આઝાદી કરતાં વધુ મહત્ત્વનું કંઈ નહોતું
નેતાજી સુભાષચંદ્ર બોઝની પુત્રી પ્રો. અનિતા બોઝએ ભારત સરકારને જાપાનથી નેતાજી સુભાષ ચંદ્ર બોઝના અવશેષો ભારત પરત લાવવા હૃદયસ્પર્શી વિનંતી કરી છે.સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સુભાષ ચંદ્ર બોઝની પુત્રી અનિતાએ કહ્યું કે સ્વાતંત્ર્ય સંગ્રામના સૌથી અગ્રણી હીરોમા સુભાષ ચંદ્ર બોઝનું નામ લેવાઈ છે.જેઓ હજુ સુધી વતન પરત ફર્યા ન હોય તેવી સ્થિતિ વચ્ચે તેમની અંતિમ ઈચ્છા દેશમાં પરત ફરવાની રહી છે. તેમ જણાવ્યું હતું.
નવી દિલ્હીમાં નેતાજીનું વધુ એક ભવ્ય સ્મારક બનાવાયુ
અનિતાએ જણાવ્યું હતું કે, સુભાષ ચંદ્ર બોઝ જીવનભર દેશની અંદર આઝાદી માટે લડ્યા હતા.જે ને લઈને ઇન્ડિયન નેશનલ આર્મી અને તેના સાથીઓએ તેમને નેતાજીના ઉપનામથી બોલાવ્યા હતા. આઝાદીના આ સંઘર્ષમાં તેઓએ શાંતિ, પારિવારિક જીવન, તેમની કારકિર્દી એટલું જ નહીં જીવન પણ હોમી દીધું હતું. જે ને લીધે દેશવાસીઓ આજે પણ તેમના સમર્પણ અને બલિદાન પ્રત્યે પ્રેમ ધરાવે છે.આ કારણે જ નેતાજીની જગ્યાએ સ્મારકો બનાવવામાં આવ્યા અને તેમની સ્મૃતિ આજ સુધી જીવંત રાખવામાં આવી છે. તાજેતરમાં નવી દિલ્હીમાં તેનું તેમનું વધુ એક ભવ્ય સ્મારક બનાવવામાં આવ્યું છે.જેનું અનાવરણ કરાયું છે. અનિતાએ વધુમાં કહ્યું કે, નેતાજી પ્રત્યે એટલો ઊંડો પ્રેમ અને પ્રેમ છે કે આજે પણ ભારતમાં લોકો તેમને માત્ર યાદ જ નથી કરતા, પરંતુ કેટલાક લોકોને એવી આશા પણ છે કે તેઓ 18 ઓગસ્ટ 1945ના રોજ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા ન હતા અને એક દિવસ તેઓ તેમના ઘરે પાછા ફરશે.
નેતાજીને મન આઝાદી કરતાં વધુ મહત્ત્વનું કંઈ નહોતું : અનિતા
અનિતાએ જણાવ્યું હતું કે જાપાને ટોક્યોના રેન્કોજી મંદિરમાં નેતાજીના અવશેષોને અસ્થાયી જગ્યાએ રાખ્યા છે. અત્યારે એવી આશંકા છે કે ટોક્યોના રેન્કોજી મંદિરમાં રાખવામાં આવેલા અવશેષો નેતાજીના ન હોઈ શકે.અમુક લોકો હજુ પણ શંકા કરે છે કે નેતાજી 18 ઓગસ્ટ 1945ના રોજ મૃત્યુ પામ્યા નથી આથી તેમનો ડીએનએ ટેસ્ટ કરાવી ભારત પરત લાવવા માંગ ઉઠાવી હતી. નેતાજીને મન આઝાદી કરતાં વધુ મહત્ત્વનું કંઈ નહોતું ઓછામાં ઓછા તેમના અવશેષો ભારતની ધરતી પર પાછા ફરવાનો સમય આવી ગયો છે. તેમ અનિતાએ પત્રમાં ઉમેર્યું હતું.