નેપાળની સરકાર દ્વારા તાજેતરમાં જ એક બયાન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે ગૌતમ બુદ્ધનું જન્મ સ્થળ લુંબિની નેપાળમાં છે અને તે જ કારણોસર તે યુનેસ્કો માન્ય વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. આથી આ એક સર્વવિદિત સત્ય છે માટે આ બાબતે હવે વધુ કોઈ અન્ય ચર્ચાને અવકાશ નથી. આ સિવાય કહ્યું હતું કે વડાપ્રધાન મોદી પોતે નેપાળી સંસદમાં તેમના ૨૦૧૪ના સંબોધનમાં નેપાળને બુદ્ધની જન્મભૂમિ તરીકે વર્ણવી ચુક્યા છે.
ભારતીય વિદેશમંત્રીના સંબોધન પછી નેપાળના વિદેશ મંત્રાલયનો જવાબ
નેપાળી સરકારનો દાવો, ગૌતમ બુદ્ધનો જન્મ નેપાળમાં જ થયો હતો
સમગ્ર વિશ્વમાં બૌદ્ધ ધર્મના ફેલાવા પાછળ છે નેપાળનો હાથ
નેપાળની સરકાર દ્વારા તાજેતરમાં જ એક બયાન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે ગૌતમ બુદ્ધનું જન્મ સ્થળ લુંબિની નેપાળમાં છે અને તે જ કારણોસર તે યુનેસ્કો માન્ય વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. આથી આ એક સર્વવિદિત સત્ય છે માટે આ બાબતે હવે વધુ કોઈ અન્ય ચર્ચાને અવકાશ નથી.
It is a well-established and undeniable fact proven by historical & archaeological evidence that Gautam Buddha was born in Lumbini, Nepal. Lumbini, the birthplace of Buddha and the fountain of Buddhism, is one of the UNESCO world heritage sites: Ministry of Foreign Affairs, Nepal pic.twitter.com/hooD5856hO
હાલમાં જ ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે તેમના એક ભાષણમાં કહ્યું હતું કે ગૌતમ બુદ્ધ અને મહાત્મા ગાંધી આ બંને વિશ્વના સૌથી મહાન ભારતીયોમાં સ્થાન ધરાવે છે, ઉલ્લેખનીય છે કે તેમણે બૌધ્ધ ધર્મના સંસ્થાપકને ભારતીય ગણાવ્યા હતા, જે બાદ નેપાળના વિદેશ મંત્રાલય દ્વારા એક પ્રેસનોટ જાહેર કરવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે ગૌતમ બુદ્ધનો જન્મ લુંબિનીમાં થયો હતો જે નેપાળમાં છે માટે બુદ્ધએ નેપાળના કહેવાય અને નેપાળથી જ બૌધ્ધ ધર્મ સમગ્ર જગતમાં ફેલાયો આ બાબતમાં કોઈ શંકાને સ્થાન નથી.
શું છે વિવાદ?
તાજેતરમાં ભારતના ઉદ્યોગ સંગઠનો પૈકીનાં એક એવા કૉંફડેરેશન ઓફ ઇંડિયન ઈન્ડસ્ટ્રીઝની એક મીટીંગમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સંબોધન કરી રહ્યાં હતાં. જેમાં તેમણે ગૌતમ બુદ્ધ અને મહાત્મા ગાંધીને વિશ્વના સર્વકાલીન મહાન ભારતીય ગણાવ્યા હતા. આ બાદ થોડા કલાકોમાં જ નેપાળની સરકાર દ્વારા એક આધિકારિક બયાન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં કહ્યું હતું કે ગૌતમ બુદ્ધનો જન્મ લુમ્બિનીમાં થયો હતોમ અને તે જ કારણે તેને યુનેસ્કો સંગઠન દ્વારા વર્લ્ડ હેરીટેજ સાઈટ ઘોષિત કરવામાં આવી છે. આમ બુદ્ધ એ નેપાળના નાગરિક થયા અને આ સંદર્ભની આ હકીકત વિશ્વમાં સર્વવિદિત છે. તેથી બૌદ્ધ ધર્મના સંસ્થાપક તરીકે વિશ્વમાં બૌદ્ધ ધર્મના ફેલવાનો શ્રેય નેપાળને મળવો જોઈએ, નહી કે કોઈ અન્ય રાષ્ટ્રને. માટે આ બાબતની સર્વ ચર્ચાઓને હવે વીરમાં આપવું જોઈએ કેમ કે આ સત્ય આગળ કોઈ અન્ય ચર્ચા માટે સ્થાન જ નથી.
બૌદ્ધ ધર્મના ફેલાવાનો શ્રેય ભારતને મળે છે
ગૌતમ બુદ્ધના જન્મ બાદના તેમના તમામ ]જીવન ચક્રની ભૂમિ તરીકે ઉત્તર ભારત જ મુખ્ય રહ્યું છે, તેમના જ્ઞાન પાંવન સ્થળ તરીકે વિખ્યાત બોધિગયા અને નિર્વાણ સ્થળ કુશીનગર પણ ભારતમાં આવેલું છે. આ બાદ ભારતના જ અન્ય રાજાઓ જેવા કે અશોક, કનિષ્ક અને મિનેન્ડર દ્વારા તે વિશ્વના અન્ય ભાગોમાં ફેલાયો. ભારતમાં આ ધર્મને લગતા અનેકો સ્થળો મોજુદ છે અને બિહાર રાજ્યનું તો નામ જ એક બૌદ્ધ ધર્મના તત્વ વિહારના અપ્રભંશથી પડ્યું છે. આમ ભારતને આ શ્રેય મળતું રોકવા માટે નેપાળ ધમપછાડા કરી રહ્યું છે.
પહેલા રામના નામે થયો છે વિવાદ
ઉલ્લખનીય છે કે છેલ્લા ઘણા સમયથી નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલી ભારત સાથે સતત વિવાદ વધે તેવા નિર્ણય અને વિધાન કરી રહ્યાં છે. તેઓ ચીનને ખુશ કરવા માટે અને પોતાની સંકટમાં રહેલી ખુરશીને બચાવવા માટે ભારત સાથે વિવાદ વધારી રહ્યાં છે. વિદેશ નીતિના જાણકારોનું માનવું છે કે આ પ્રકારના કામ પાછળ ચીનનો હાથ છે. ચીન નેપાળમાં પ્રભાવ વધારવા માટે ભારતને કાઉન્ટર કરી રહ્યું છે. નોંધનીય છે કે આ પહેલા કે પી ઓલી રામ અને સીતાને પણ નેપાળી બતાવી ચુક્યા છે. તેમણે કહ્યું હતું કે અસલી અયોધ્યા ભારતમાં નહિ પણ નેપાળમાં હતી અને તેથી રામ ભારતીય નહિ પણ નેપાળી હતાં. આ માટેની ખરાઈ કરાવવા માટે તેમણે નેપાળ સરકારના આર્ક્યોલોજિ વિભાગને સંબંધિત ક્ષેત્રમાં ખોદકામ કરવાનો ઓર્ડર આપ્યો હતો.
ભારત પર લગાવ્યો હતો આરોપ
કે પી શર્મા ઓલી આ પહેલા ભારત પર નેપાળનું સાંસ્કૃતિક શોષણ કરવાનો આરોપ લગાવી ચુક્યા છે. તેમણે કહ્યું હતું કે ભારત એક મોટો દેશ હોવાથી ઘણાં લાંબા સમયથી તેમના દેશનું સાંસ્કૃતિક શોષણ કરી રહ્યું છે. નેપાળી ઇતિહાસ ધરાવતા મહાન લોકોને પોતાના ભારતીય બતાવીને ભારત તેમના ઈતિહાસને બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ભારતના પ્રદેશો પર કર્યો હતો દાવો અને સીમા પર વધારી રહ્યું છે તણાવ
ચીનના ખીલે કુદતા નેપાળી વડાપ્રધાન પોતાની ગાદી બચાવવા માટે ભારત સાથે તણાવ વધારી રહ્યાં હોવાનું અનેક પ્રસંગે ઉજાગર થઈ ચુક્યું છે. ભારતના લિપુલેખ, લીમપ્યાધુરા અને કાલાપાની વિસ્તારમાં ભારતે કૈલાસ યાત્રા માટે રોડ બનાવ્યો હતો જે ચીન સીમા સુધી જતો હતો. આ માર્ગનું ઉદ્ઘાટન થતાં જ નેપાળી સરકાર સફાળી જાગી હતી અને ભારત પર નેપાળના પ્રદેશમાં બાંધકામ કરવાનો આરોપ લગાવ્યો હતો અને રાતોરાત નેપાળી સંસદમાં આ બાબતને લાગતો નવો નકશો તૈયાર કરાવીને પસાર કરાવ્યો હતો જે બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ વ્યાપી ગઈ હતી. આ બાદ ભારત નેપાળ સીમા પર નેપાળ દ્વારા અમુક જગ્યાઓ પર બાંધકામ કરીને બંકરો બનવડાવ્યા હતાં. જે બાદ નેપાળની સેના દ્વારા અમુક વાર ગોળીબાર કરવાના બનાવો નોંધાયા હતાં જેમાં એક ભારતીયનું મોત પણ નીપજ્યું હતું.
ઉત્તર સરહદ પર ડેમ નિર્માણમાં અવરોધ કર્યો
ઉત્તર ભારતની નેપાળ સાથેની સરહદ પર અમુક ડેમ બાંધવાનો પ્રસ્તાવ હતો. કેમ કે જો નેપાળની ભૂમિ પર આ ડેમો બંધાય તો નેપાળ માટે જળવિદ્યુત બનાવવાનો રસ્તો ઉભો થાય તેમ હતું અને નેપાળી કૃષિ અને અન્ય ઉપયોગો માટે પાણીની સમસ્યાને નિવારી શકાય હોત પરંતુ છેલ્લા અમુક સમયથી નેપાળ દ્વારા કોઈને કોઈ કારણોસર અમુક ડેમનું કામકાજ અવરોધિત કરાયાના સમાચારો વહેતા થયા હતાં જે બાબતે સંલગ્ન જિલ્લાના મજીસ્ટ્રેટ દ્વારા ભારત સરકારને આ બાબતનો રીપોર્ટ પણ સુપ્રત કરાયો હતો. હાલ ઉત્તર ભારતમાં થયેળા જળ પ્રલયને આ ડેમો દ્વારા લાંબા ગાળે નિવારવાની યોજના હતી અને બિહારની કોસી નદીમાં આવતા પુરને નેપાળમાં બાંધેલા ડેમ દ્વારા પણ નિયંત્રિત કરવાની શક્યતાઓ છે.
સત્તા બચાવવા ભારત વિરોધી કાર્ડ
નેપાળમાં હાલ નેપાળી કોમ્યુનિસ્ટ પાર્ટીનું શાસન છે, થોડા સમય પહેલા આ પાર્ટી અને અન્ય ગઠબંધન પાર્ટીઓમાં વિખવાદ સામે આવ્યો હતો. જેમાં પાર્ટીના મુખ્ય નેતાઓ જેવા કે પ્રચંડ અને અન્ય નેતાઓ તેમજ કે પી ઓલી વચ્ચે વિખવાદ થયો હતો. કે પી ઓલીની ખુરશી સંકટમાં આવી પડી હતી. જે સમયે નેપાળ ખાતેની રહસ્યમય ચીની મહિલા રાજદૂત હાઓ યાન્કી સક્રિય બની હતી અને નેપાળી સરકાર અને પાર્ટીના મુખ્ય નેતાઓ સાથે બેઠક કરીને ઓલીની ખુરશી બચાવવામાં મદદ કરી હતી. આ સમય પણ કેપી ઓલીએ ભારત પર પોતાને પદભ્રષ્ટ કરાવવાનો આરોપ લગાવ્યો હતો.
External Affairs Minister’s remarks yesterday at the CII event referred to our shared Buddhist heritage. There is no doubt that Gautam Buddha was born in Lumbini, which is in Nepal: Ministry of External Affairs (MEA). pic.twitter.com/Yrn0bM5Hqe
ભારતના વિદેશ મંત્રાલયે જો કે આ બાબતનો જવાબ વાળતા કહ્યું હતું કે એસ જયશંકરે આ બાબતનો ઉલ્લેખ બંને દેશોની સહભાગિતા ધરાવતા બૌદ્ધ હેરીટેજને લઈને કર્યો હતો. એ બાબતમાં કોઈ શંકા નથી કે ગૌતમ બુદ્ધનો જન્મ લુંબિનીમાં થયો હતો જે નેપાળમાં છે.