ચીનના ઈશારે નાચતા નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ એક વાર ફરી અયોધ્યાનો રાગ આલાપ્યો છે. ભારતમાં અયોધ્યા નગરીને નકલી ગણાવી નેપાલી પીએમ ચિતવન જિલ્લામાં 40 એકડ જમીન પર અયોધ્યાપુરી ધામનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. આ માટે જમીન ફાળવી દીધી છે. આ પહેલા ઓલીએ ભારતની અયોધ્યાને નકલી ગણાવી હતી અને દાવો કર્યો હતો કે અસલી અયોધ્યા નેપાળના ચિતવન જિલ્લાના માડીમાં સ્થિત છે.
અસલી અયોધ્યા નેપાળના ચિતવન જિલ્લાના માડીમાં સ્થિત
અયોધ્યાપુરી ધામ બનાવવા માટે 40 એકર જમીન ફાળવવાનો નિર્ણય કર્યો
નેપાળમાં પણ જબરજસ્ત વિરોધ થયો હતો
નેપાળી પીએમ ઓલીએ બુધવારે કહ્યુકે માડી નગરપાલિકાએ અયોધ્યાપુરી ધામ બનાવવા માટે 40 એકર જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ ત્યાના માડીના મેયર ઠાકુર પ્રસાદ ઘાકલે મીડિયાને જણાવ્યું કે 29 સપ્ટેમ્બરમાં થયેલી બેઠકમાં અયોધ્યાપુરી બનાવવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું અમારી પાસે 50 વિઘા જમીન છે. જે કોઈ ટેક્નીકલ સમસ્યા આવશે તો ઉપયોગ કરીશું.
ઘાકલે કહ્યું કે અયોધ્યાપુરી ધામનો માસ્ટર પ્લાન તૈયાર છે. જલ્દી તેનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરાશે. ઉલ્લેખનીય છે કે ઓલીના આ નિવેદનનો ભારતમાં જ નહીં પણ નેપાળમાં પણ જબરજસ્ત વિરોધ થયો હતો. જોકે ઓલીના વલણમાં કોઈ પરિવર્તન આવ્યું નથી તેમણે માડીમાં રામમંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય કર્યો છે.
આ પહેલા માડીના અધિકારીઓને ઓલીએ ફોન કરી બોલાવ્યા અને બે કલાકની બેઠક કરી હતી અને કહ્યું હતું કે નેપાળમાં રામ મંદિરનું નિર્માણ કરવું જોઈએ. તેમણે દાવાને સાબિત કરવા સ્થાનિક લોકો સાથે વાત કરી ત્યાના ઐતિહાસિક પુરાવાને સંરક્ષિત કરવા માટે કહ્યું છે. આ સાથે પુરાવા ભેગા કરવા અને અયોધ્યાપુરીમાં ખોદકામ કરવા નિર્દેશ કર્યા હતા.