ભારત અને નેપાળના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે. ભારત અને નેપાળનો પૌરાણિક નાતો છે પરંતુ ચીનની સોડમાં આવીને નેપાળ અવળચંડાઈ કરી રહ્યું છે. એવામાં નેપાળે નવા જાહેર કરેલા નકશા પર આજે વોટિંગ કરવામાં આવશે જો નકશો નેપાળની સંસદમાં પાસ થઇ ગયો તો પાળ અને ભારતના સંબંધોમાં વધુ ખટાશ આવશે.
ભારતને 3 વિસ્તારો પર છે નેપાળનો દાવો
આજે જ સંસદમાં પાસ થઇ શકે છે નવો નકશો
ભારતે નેપાળને સાંસ્કૃતિક સંબંધોની યાદ અપાવી
નેપાળનો નવો નકશો પાસ થઇ જય તો વિવાદ વધુ વકરશે
નેપાળના નવા નકશાને કાનૂની માન્યતા આપવા માટે આજે સંસદમાં વોટિંગ કરવામાં આવશે. સંભાવના છે કે નેપાળનો નવો નકશો પાસ થઇ જય તો ભારત અને નેપાળ વચ્ચે વિવાદ વધુ વકરશે. આ દરમિયાન ભારતે નેપાળને સાંસ્કૃતિક સંબંધોની યાદ અપાવી.
ભારતે હંમેશા કરી છે મદદ
ભારતે કોરોના કાળમાં નેપાળની ખૂબ મદદ કરી છે. અમુક એવા દેશો જેને હાઈડ્રોકસીક્લોરોક્વીન આપવામાં આવી તેમાં નેપાળ પણ સામેલ છે. વિદેશોમાં ફસાયેલા નેપાળી લોકોને નીકાળવામાં પણ ભારતે હાથ આગળ કર્યો. સરહદ પર વિવાદ થયો છતાં ભારતે માનવતા રાખી અને આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય રોકી નથી.
ભારત અને નેપાળનો પૌરાણિક નાતો
વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે અમે દરેક પરિસ્થિતિ નેપાળ સામે સ્પષ્ટ કરી દીધી છે. નેપાળ સાથે અમારા પૌરાણિક અને મિત્રતા ભરેલા સંબંધો રહ્યા છે. આ સિવાય સંકટના સમયમાં ભારતે કઈ રીતે નેપાળની મદદ કરી છે તે યાદ અપાવતા શ્રીવાસ્તવે કહ્યું કે અમે નેપાળને 25 ટન દવાઈ અને મેડિકલ સાધનો આપ્યા. પુષ્કળ સંખ્યામાં પેરાસેટામોલ અને હાઈડ્રોકસીક્લોરોક્વીન પણ આપી.
નોધનીય છે કે થોડા સમય પહેલા જ નરમ પડેલા નેપાળી વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ કહ્યું હતું કે જો ભારત વાતચીતમાં ધ્યાન આપે તો સમસ્યાનું સમાધાન કથી શકે છે.
શું છે નકશાનો વિવાદ
નોંધનીય છે કે થોડા સમય પહેલા નેપાળની સરહદ પાસે ભારતે એક માર્ગનું નિર્માણ કર્યું જેનો ઉદ્દેશ કૈલાશ માનસરોવર યાત્રાનો હતો પરંતુ નેપાળને તેનાથી વાંધો છે. નેપાળનું માનવું છે કે તે વિસ્તાર નેપાળનાં જ છે. નેપાળે લીમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાની પર પોતાનો દાવો કર્યો અને નવો નકશો પણ જાહેર કરી દીધો.
ગઈકાલે સીતામઢીમાં ઘટી ઘટના
એક તરફ આ વિવાદ ચાલી રહ્યો હતો ત્યાં શુક્રવારે નેપાળની પોલીસે સીતામઢીમાં અંધાધુંધ ફાયરીંગ કરી જેમાં ચાર ભારતીયોને ગોળી વાગી અને એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. એવામાં હવે જો નેપાળના નવા નકશાને માન્યતા મળી જાય છે તો નેપાળ અને ભારતના સંબંધોમાં વધુ ખટાશ આવશે તે નક્કી છે.