નેપાળના કેપી શર્મા ઓલી સરકારે ચોંકાવનારો નિર્ણય લીધો. રવિવારે નેપાળ સરકારે તમામ સાત પ્રદેશના રાજ્યપાલોને બરતરફ કરી દીધા છે. રવિવારે સાંજે થયેલ કેબિનેટની આપાતકાલિન બેઠકમાં તમામ રાજ્યપાલોને બરતરફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
રવિવારે નેપાળ સરકારે તમામ રાજ્યપાલોને બરતરફ કર્યા
કેબિનેટની આપાતકાલિન બેઠકમાં લેવાયો નિર્ણય
તમામ રાજ્યપાલોની નિયુક્તિ ગત સરકારે કરી હતી
નેપાળ કેબિનેટની ભલામણ પર રાષ્ટ્રપતિ કાર્યાલયે એક જાહેરાત બહાર પાડીને આ નિર્ણયની જાણકારી આપી. આ તમામ રાજ્યપાલોની નિયુક્તિ ગત સરકારે કરી હતી. નવી સરકાર બન્યા બાદથી આ રાજ્યપાલોને હટાવવાની ચર્ચા ચાલી રહી હતી. પરંતુ સરકાર ગઠનના બે વર્ષ વીત્યા બાદ શનિવારે અચાનક સરકારે આ નિર્ણય લઇને સૌને ચોંકાવી દીધા.
નેપાળમાં હાલ કોમ્યુનિસ્ટ પાર્ટીની સરકાર છે અને કેપી શર્મા ઓલી વડાપ્રધાન છે. કેપી ઓલી સરકારની પાસે સંસદમાં બે તૃતિયાંશ બહુમતી છે. બરતરફ કરવામાં આવેલા તમામ રાજ્યપાલ નેપાળી કોંગ્રેસ સરકારના સમયે નિયુક્ત કરાયા હતા.
નોંધનીય છે કે નેપાળની હાલની સંસદીય ચૂંટણીમાં વામપંથી ગઠબંધનને જીત મળી હતી. જે બાદ સીપીએન-યૂએમએલના અધ્યક્ષ કેપી શર્મા ઓલીને ફરી નેપાળના વડાપ્રધાન બનાવાયા હતા. આ પહેલા ઓલી 11 ઓક્ટોબર 2015થી ત્રણ ઓગસ્ટ 2016 સુધી નેપાળના વડાપ્રધાન રહી ચુક્યા છે.