ભારત સાથે સીમા વિવાદ વચ્ચે નેપાળની રાજનીતિમાં સંકટ છવાયું છે. નેપાળના પ્રધાનમંત્રી કે.પી.ઓલીની ખુરશી પર સંકટ છે. અને તેમની પાર્ટીમાં જ તેમના રાજીનામાની માગ ઉઠી છે. ત્યારે આ વચ્ચે કે.પી.ઓલીએ પોતાના ખાસ મંત્રીઓની બેઠક બોલાવી છે.
નેપાળ PM ઓલીનું PM પદ ખતરામાં
PM ઓલીએ ઈમરજન્સી બેઠક બોલાવી
ઓલીએ પોતાના ખાસ મંત્રીઓની બેઠક બોલાવી
આ બેઠક તેમના નિવાસસ્થાન પર યોજાઇ છે. જેમાં આગળની રણનીતિ પર મંથન કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ બેઠકમાં વિરોધ જૂથ અને માઓવાદી જૂથને બાદમાં બોલાવ્યા છે.
પૂર્વ પીએમ દ્વારા કે.પી.ઓલીનું માગવામાં આવ્યું છે રાજીનામું
છેલ્લા કેટલાક દિવસથી પૂર્વ પીએમ પુષ્પ કમલ દહલ પ્રચંડે કેપી ઓલીનું રાજીનામું માગ્યું છે અને જો કે.પી.ઓલી રાજીનામુ નહીં આપે તો માઓવાદી જૂથના કેટલાક મંત્રી સામૂહિક રાજીનામુ આપી શકે છે.
ઓલી હાલ પૂર્ણ બહુમત નથી
કારણ કે હાલ પાર્ટીની સ્થાઇ સમિતિમાં કેપી ઓલી પાસે હાલ પૂર્ણ બહુમત નથી. મળતી માહિતી મુજબ કે.પી.ઓલીએ ચીની રાજદૂત સાથે પણ મુલાકાત કરી છે. જો કે ચીની રાજદૂત દ્વારા પણ હાથ ઉંચા કરી દેવાયા છે. અને કહ્યું કે હવે રાજીનામુ જ માત્ર એક વિકલ્પ છે.
ભારત સાથેના સંબંધ બગડતા વિવાદ વણસ્યો
નેપાળ દ્વારા ભારત સાથે સીમા વિવાદ કરવામાં આવ્યો છે ત્યારથી નેપાળના પીએમ સામે વિરોધ વધી ગયો છે. અને પાર્ટીના નેતા જ તેમનો વિરોધ કરી રહ્યાં છે. અને ભારત સાથે સંબંધો ખરાબ કરવાનો પણ આરોપ લગાવ્યો છે.