ભારત અને નેપાળની વચ્ચે વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. નેપાળ સરકારે નવી રાજનીતિક નક્શાના સંબંધમાં સંવિધાન સંશોધન બિલ પોતાની સંસદમાં રજુ કર્યુ છે. નેપાણના કાયદા મંત્રી શિવમાયા તુંબાહંફેએ નવા નક્શાના સંબંધમાં સંસદમાં બિલ રજુ કર્યુ છે. નેપાળના એક નવા નક્શામાં ભારતના કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાને પોતાનો હિસ્સો બતાવ્યો.
નેપાળના સંસદમાં સંવિધાન સંશોધન બિલ રજૂ
નેપાળે ભારતના હિસ્સાને બતાવ્યો પોતાનો
ભારતના કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાને પોતોના નક્શામાં બતાવ્યા
છેલ્લા કેટલાક દિવસોમાં નેપાળની સાથે ભારતના સંબંધો તકરાર વધી છે. નેપાળ ભારતનું જુનું મિત્ર છે. નેપાળી કોંગ્રેસ નેપાળના નક્શાને અપડેટ કરવા માટે સંવિધાન સંશોધનનું સમર્થન કરી રહ્યું છે. લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાનીના વિવાદિત વિસ્તારોને તે પોતાના ક્ષેત્રમાં સમાવિષ્ટ કરવા માંગે છે. આ પગલું નેપાળના નક્શાને બદલા માટે ભરવામાં આવ્યું છે.
જ્યારે નેપાળે પોતાના નવા રાજનીતિક નક્શામાં ભારતના વિસ્તારને પોતાનો ભાગ બતાવ્યો હતો. ત્યારે ભારત તરફથી પ્રતિક્રિયા સામે આવી હતી. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે નેપાળમાં ભારતની સંપ્રભુતાનું સન્માન કરવું જોઈએ.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું હતું કે અમે નેપાળ સરકાર પાસે અપીલ કરીએ છીએ કે આવા બનાવટી કાર્ટોગ્રાફિક પ્રકાશિત કરવાથી દુર રહે. સાથે ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનું સન્માન કરે.
શું છે વિવાદનું કારણ ?
નેપાળ સરકારના નવા નક્શમાં ભારતના કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાને પોતોના નક્શામાં સમાવિષ્ટ કરવા પર ભારતે વાંધો ઉઠાવ્યો છે. નેપાળ કેબિનેટની બેઠકમાં ભૂમિ સંશાધન મંત્રાલયે નેપાળનો આ સંશોધિત નક્શો જાહેર કર્યો હતો. જ્યારે આ રજુ કરવામાં આવ્યો ત્યાપે હાજર કેબિનેટ સભ્યોએ આ નક્શાના સમર્થનમાં મત આપ્યો હતો. ત્યારે ભારતે તત્કાલ વાંધો ઉઠાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે 8 મેના રોજ ભારતે ઉત્તરાખંડના લિપુલેખથી કૈલાશ માનસરોવર માટે રસ્તાનું ઉદ્ઘાટન કર્યું હતુ. તેને લઈને નેપાળ તરફથી કડક પ્રતિક્રિયા સામે આવી હતી. ઉદ્ધાટન બાદથી નેપાળ સરકારે નવો રાજનીતિક નક્શો જાહેર કરવનો નિર્ણય કર્યો હતો. નેપાળે ભારતના વિસ્તારોને પણ પોતાના દર્શાવ્યા છે.