એમ્સમાં અભ્યાસ કરનારા નેપાળના આંખના ડૉ. સંદુક રૂઈતે મોતિયાના ઓપરેશનના ખર્ચને 90 ટકા ઘટાડી દીધો છે. તેઓ દર અઠવાડિયે 2500 દર્દીઓની સારવાર કરે છે અને જે લોકો મોતિયો ઉતરાવવા માટે ફી ચૂકવી શકતા નથી તેની ફ્રીમાં સારવાર કરે છે.
આંખના ડૉકટર દર અઠવાડિયે 2500 દર્દીઓની સારવાર મફતમાં કરે છે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ડોકટરને પદ્મ શ્રીથી સન્માનિત કર્યા હતા
ડૉકટરે કાઠમંડુમાં તિલગંગા નેત્ર વિજ્ઞાન સંસ્થાની સ્થાપના કરી
ડૉ. સંદુક રૂઈતની પરોપકારી સેવાઓ માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ડોકટરને પદ્મ શ્રીથી સન્માનિત કર્યા હતા. નેપાળમાં ઘણા લોકો છે, જેમાંથી મોટાભાગના ગરીબ છે, ડૉ. રૂઈતની મફત સારવારથી લાભ થયો છે. ડૉ. સંદુક રૂઈતે કાઠમંડુમાં તિલગંગા નેત્ર વિજ્ઞાન સંસ્થાની સ્થાપના કરી છે. નિયમિત રીતે આ હિમાલયી દેશના ઉંચા પર્વતો અને નીચાણવાળી નીચી જમીનના દૂરદૂરના ગામનો પ્રવાસ કરે છે. તેઓ તેમની સાથે એક નિષ્ણાંતની એક ટીમ અને ઉપકરણ લઇને ગામમાં મોતિયાની સર્જરીને અંજામ આપે છે. તેમની સારવારથી ફક્ત નેપાળ નહીં આખા દેશના લોકો પણ ફાયદો ઉઠાવે છે.
#PresidentKovind presents Padma Shri to Dr Sanduk Ruit for Medicine (Ophthalmology). He is an AIIMS-educated Nepali Opthalmologist who reduced the cost of cataract eye surgery by 90%. He treats 2,500 patients every week and offers free treatment to those who cannot afford to pay pic.twitter.com/IgBsAx1uQm
— President of India (@rashtrapatibhvn) April 2, 2018
આંખોની રોશની પાછી આવશે તેવી આશા સાથે આવે છે લોકો
લુંબિનીમાં માયાદેવી મંદિરની બાજુમાં 2600 વર્ષ પહેલા ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. તેમની શિવિર થાય છે. આ શિવિરમાં અસંખ્ય લોકો એક કામચલાઉ હોસ્પિટલની બહાર લાઈનમાં ઉભા રહે છે. કતારમાં ઉભા રહેલા લોકોને આશા હોય છે કે ડૉ. રૂઇત તેમની આંખોની રોશની ફરીથી પાછી લાવી શકે છે. ત્યાં ભગવા વસ્ત્ર પહેરીને બૌદ્ધ ભિક્ષુક, વૃદ્ધ ખેડૂત અને ગૃહિણીઓ આ આશા સાથે પહોંચે છે કે તેઓ ફરીથી દુનિયાને જોવા માટે સક્ષમ થઇ શકશે. કારણકે નેપાળના પ્રસિદ્ધ નેત્ર સર્જન ડૉ. સંદુક રૂઈત તેના અનુભવ અને સસ્તી મોતિયાની સર્જરી સાથે તેની સારવાર કરવા માટે સમય મુજબ આવે છે. ડૉકટરને તેના માટે ઘણા પુરસ્કાર પણ આપવામાં આવ્યાં છે.