નેપાળની રાજધાની કાઠમાંડૂમાં રવિવારે થયેલા ત્રણ અલગ-અલગ બોમ્બ બ્લાસ્ટમાં 4 વ્યક્તિઓના મોત નિપજ્યાં છે જ્યારે અન્ય 9 લોકો ઘાયલ થયા છે. નેપાળના એક મીડિયાના અહેવાલ મુજબ આ બોમ્બ બ્લાસ્ટ સુખેધરા, ઘટ્ટેકુલો અને નગઘુંગા વિસ્તારમાં થયા. આ બોમ્બ બ્લાસ્ટ બાદ પોલીસે 9 લોકોની અટકાયત કરી છે.
જેની પુછપરછ કરવામાં આવી રહી છે. જો કે આ બ્લાસ્ટને લઇને અત્યાર સુધીમાં કોઇ મોટો ખુલાસો કરવામાં આવ્યો નથી. બોમ્બ બ્લાસ્ટ બાદ પોલીસે આ વિસ્તારને ઘેરી લઇ આગળની તપાસની કાર્યવાહી હાથ ધરી છે. આ બ્લાસ્ટમાં ઇજા થયેલા લોકોને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં છે. એક મળતાં અહેવાલ મુજબ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે જ્યારે કાઠમાંડું આસપાસના વિસ્તારમાં હાઇ અલર્ટ આપવામાં આવ્યું છે.
નેપાળના કાઠમંડુમાં ત્રણ અલગ અલગ જગ્યાએ બ્લાસ્ટના અહેવાલ સામે આવ્યા છે. નેપાળની રાજધાની કાઠમંડુમાં ત્રણ બ્લાસ્ટની ઘટના સામે આવી છે. આ બ્લાસ્ટમાં 4 લોકોનાં મોત થયા છે. જ્યારે સાતથી વધારે લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પહેલો બ્લાસ્ટ સુકેધારામાં થયો હતો, આ બ્લાસ્ટમાં ત્રણ લોકોનાં મોત નિપજ્યાં છે.
જ્યારે નવ લોકોને ઈજા પહોંચી છે. થોડા સમય બાદ બીજો બ્લાસ્ટ અનામનગરમાં થયો અને તેમાં એક વ્યક્તિનું મોત થયું છે. બે બ્લાસ્ટ બાદ હવે રાજધાની કાઠમાંડુમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જોકે, આ બ્લાસ્ટની જવાબદારી હજુ સુધી કોઈ આતંકી સંગઠને લીધી નથી.
જો કે પોલીસના એક અધિકારનું કહેવું છે કે, પૂર્વ માઓવાદી વિદ્રોહીઓના જૂથમાંથી અલગ થયેલા જૂથે આ બ્લાસ્ટ કર્યો હોવાની આશંકા છે. ઉલ્લેખનીય છે કે નેપાળની રાજધાની કાઠમાંડુંમાં આવો જ એક બ્લાસ્ટ ફેબ્રુઆરી મહિનામાં થયો હતો. જેમાં 1 વ્યક્તિનું મોત અને 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે.