નેપાળ સરકારે એક અધ્યાદેશ જારી કરીને ભારતીય ફળો અને શાકભાજીની આયાત પર રોક લગાવી દીધી છે. આ નિર્ણયથી ઉત્તરપ્રદેશના મહારાજગંજ સ્થિત ભારત નેપાળની સોનૌલી સીમી પર હજારો ફળો અને શાકભાજી ભરેલી ગાડીઓ લાઇનમાં ઊભેલી છે.
નેપાળ સરકારની આ આકસ્મિક જાહેરાતથી કાચો માલ સડી ના જાય તે માટે કેટલાક લોકો સીમા પર જ ફળો અને શાકભાજીને સ્થાનિક લોકોને અડધા ભાવમાં વેચવા મજૂર થઇ ગયા છે તો કેટલાક લોકો નેપાળી અધિકારીઓની લીલી ઝંડી મળે એની રાહ જોઇને ઊભા છે.
સીમા પર આ સમસ્યાને જોતા અહીંના અધિકારીઓએ ઉચ્ચ અધિકારીઓને સ્થિતિને લઇને માહિતી આપી દીધી છે અને જલ્દીથી જલ્દી આ સમસ્યાનું સમાધાન નિકળે એવી વાત કહી છે.
જાણકારી પ્રમાણે નેપાળ સરકારનું માનવું છે કે ભારતથી નેપાળ આવતા શાકભાજી અને ફળોમાં મોટા પાયે કીટનાશકોનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. જેનાથી એમના નાગરિકો ઉપર એના ઉપયોગથી ખરાબ પ્રભાવ પડી રહ્યો છે અને લોકો બીમાર પડી રહ્યા છે.
એવામાં ભારતથી નેપાળ આવતા ફળો અને શાકભાજીઓની કાઠમાંડુ સ્થિત એમના લેબમાં તપાસ થશે અને ત્યારબાદ જ નેરાળમાં સામાન લાવવાની મંજૂરી આપવામાં આવશે.
સમગ્ર મામલે અધિકારીઓનું કહેવું છે કે નેપાળ સરકારે 17 જૂને આ નિર્ણય લીધો છે કે તપાસ વગર ભારતથી શાક અને ફળ લાવવામાં આવશે નહીં.
આ નિર્ણય બાદ નેપાળ સરકારે ઘણી ભારતીય ટ્રક પાછી મોકલી દીધી છે. હાલ ભારતીય ઉચ્ચાધિકારી આ સંબંધમાં નેપાળના અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. તેમજ જલ્દીથી જલ્દી આ સમાસ્યાનું સમાધાન કરવામાં આવશે.