ચીનના વાદે ચડેલા નેપાળે વધુ એક હરકત કરી છે. બોર્ડર વિવાદ બાદ કાર્યવાહી કરતા નેપાલે ભારતની ડીડી ન્યૂઝ સિવાય તમામ ટીવી ન્યૂઝ ચેનલોના પ્રસારણ પર રોક લગાવી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે નેપાલે આને લઇને કોઈ સત્તાવાર આદેશ જાહેર નથી કર્યા પરંતુ નેપાલના કેબલ ટીવી ઑપરેટર ભારતીય ન્યૂઝ ચેનલોનું પ્રસારણ નથી કરી રહ્યા.
ભારતીય ન્યૂઝ ચેનલો પર લગાવ્યો પ્રતિબંધ
ડીડી ન્યૂઝ સિવાય તમામ ચેનલો કરી બેન
જિનપિંગના રસ્તે કે.પી.ઓલી શર્મા
નેપાળના પ્રધાનમંત્રી કે.પી.ઓલી શર્મા ચીનના રસ્તે ચાલવા લાગ્યા છે તે ફરી એકવાર સ્પષ્ટ થયું છે. જોકે નેપાળ સરકાર તરફથી કોઈ આધિકારિક આદેશ કરવામાં આવ્યો નથી. પરંતુ નેપાળી ટીવી ઓપરેટર ભારતીય ચેનલોનું પ્રસારણ કરી રહ્યા નથી. અંદરખાને નેપાળી સરકારે જ પ્રસારણ પર રોક લગાવી છે. લદાખમાં ચાલી રહેલા તણાવને કારણે ચીને પણ ભારતીય ચેનલોનું પ્રસારણ રોકી દીધું હતું.
Nepali Cable TV providers tell ANI, signals for Indian news channels have been switched off in the country. No official government order of the same till now.
હવે ચીનના રસ્તે નેપાળે પણ આવું કર્યું છે. તો ચીનને ડર હતો કે ત્યાં લોકોને ભારતીય સમાચાર ચેનલોના માધ્યમથી બોર્ડરની પરિસ્થિતની સાચી માહિતી મળી શકે છે.
રાષ્ટ્રવાદના સહારે સત્તા પર બન્યા રહેવા માંગે છે ઓલી
પીએમ ઓલી નેપાળની સત્તામાં રાષ્ટ્રવાદના સહારે બન્યા રહેવા માંગે છે. એટલા માટે તેઓ ક્યારેક નકશા વિવાદ તો ક્યારેક નાગરિકતા કાયદા દ્વારા ભારત વિરૂદ્ધ કડક નિર્ણયો લઇ રહ્યા છે. ઓલીએ હાલમાં જ પોતાની સરકાર પડવાને લઇને ભારત પર ષડયંત્રને આરોપ લગાવ્યો હતો. ત્યારે, ચીની રાજદૂતની સાથે તેમના સંપર્કને ળઇને નેપાળમાં જ વિરોધ શરૂ થઇ ગયો છે.