નેપાળના પ્રધાનમંત્રી ઓલીના રામાયણથી જોડાયેલા વિવાદિત નિવેદન બાદ ભારત-નેપાળ બોર્ડર પર સીતામાતાની ગુફા પર વિવાદ શરૂ થઇ ગયો છે.પશ્ચિમ ચંપારણમાં રહેલ આ ગુફાની પાસે લાગેલો પિલર નેપાળીઓએ ઉખાડી દીધો છે. અત્યારે હાલ આ વિવાદને લઈને આ વિસ્તારમાં તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભગવાન રામના વિવાદિત નિવેદન નેપાળે કર્યો વધુ એક દાવો
ભારતની સીમા રહેલા સીતામાતાની ગુફાને લઇને કર્યો દાવો
ગુફા નજીક ભારતે ગોઠવ્યો ચાંપતો બંદોબસ્ત
નેપાળે ફરી એકવાર ભારત સાથેના નવા વિવાદને જન્મ આપ્યો છે. આ વખતે નેપાળે ભારતીય સીમાની અંદર આવેલી સીતામાતાની ગુફાને લઈને દાવો કર્યો છે. નેપાળી પ્રધાનમંત્રી ઓલીના વિવાદિત નિવેદન બાદ નેપાળ તરફથી હવે ફરીથી ભારતને ઉકસાવવાનું કામ કરવામાં આવ્યું છે.
નેપાળીઓએ બોર્ડેર પરનું પિલર ઉખાડયુ
ઉલ્લેખનીય છે કે, નેપાળીઓએ ભારત-નેપાળ બોર્ડર પર રહેલી સીતામાતાની ગુફાને પાસે લાગેલા બોર્ડેર પીલરને ઉખાડી દીધા છે. આ વાતની જાણકારી સ્થાનિક લોકોએ સ્થાનિક વહીવટી તંત્રને આપી હતી. પિલર નંબર 436ને ઉખાડી નાંખવાની ઘટનાના અહેવાલ મળતા જ SSBના અધિકારીઓ તથા જવાનો ઘટના સ્થળ પર પહોચી ગયા હતાં.
ભીખનાઠોડીમાં ગોઠવાયો ચાંપતો બંદોબસ્ત
ભીખનાઠોડીમાં નેપાળની આ ઉકસાવવા વાળી હરકત બાદ SSB દ્વારા અત્યારે હાલ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભીખનાઠોરી સ્થિત એસએસબી 44મી બટાલીયનના પ્રભારી કમાન્ડર એ.કે. સિંહના જણાવ્યા પ્રમાણે બીઓપીમાં હાજર ઇન્સ્પેકટર પ્રીતમ કુમાર જવાનો સાથે સ્થળ પર પહોચી ગયા હતાં. સહાયક સેનાનાયક શૈલેષ કુમાર સિંહ પણ સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યાં છે.
સીતામાતા ગુફા માટે એવું કહેવામાં આવે છે કે જ્યારે સીતામાતાને અગ્નિ પરીક્ષા બાદ વનવાસ માટે જવું પડ્યું હતું ત્યારે એ થોડીવાર આ ગુફામાં રોકાયા હતાં અને પૂજા કરી હતી. ત્યારબાદ તેમણે વાલ્મીકી આશ્રમ માટે પ્રસ્થાન કર્યું હતું. નેપાળી પ્રધાનમંત્રી ઓલીએ ખોટો ઈતિહાસ જણાવતા કહ્યું કે પહેલા ઠોડી થી લઈને વાલ્મીકીનગરના વાલ્મીકી આશ્રમ સુધી અયોધ્યા હતું. નેપાળી પીએમ ઓલીએ ભારત સાથેના સબંધ તોડવાના ચક્કરમાં આવા નિવેદનો આપ્યા હતાં. એમાંથી એમનું એક વિવાદિત નિવેદન એ હતું કે ભગવાન રામ નેપાળના નાગરિક હતાં અને અયોધ્યા પણ નેપાળમાં હતું. નેપાળી પીએમના આ વિવાદિત નિવેદન બાદજ બિહાર બોર્ડર પર નેપાળીઓ રોજ નવો વિવાદ ઉભો કરી રહ્યાં છે.