ઓમિક્રોનથી હજુ દુનિયા ત્રસ્ત છે ત્યાં તો નવો વાયરસ આવી ગયો છે જે ચામાચીડિયામાં જોવા મળ્યો છે. Neocov વાયરસ મણસોમાં કેવી અસરો કરી શકે છે તે વાંચીને કોઈ પણ વ્યક્તિને ચિંતા થાય.
ચીનમાંથી મળ્યો NeoCoV
ચામાચીડિયાઓમાંથી ફેલાયો
જાણો કેવો છે નવો વાયરસ
દેશમાં ઓમિક્રોનના કારણે લોકો પરેશાન છે ત્યારે વધુ એક નવા ઘાતક કોરોના વાઇરસ વેરિયન્ટની શોધે સમગ્ર દુનિયાનાં નાકે દમ લાવી દીધો છે.
ચીનમાંથી મળ્યો NeoCoV
ચીનના વુહાનના સંશોધકોએ સાઉથ આફ્રિકામાં મળી આવેલા એક નવા જ પ્રકારના કોરોના વાઇરસ ‘નિયોકોવ’ (NeoCoV)ને લઈને ચેતવણી આપી દીધી છે. તેમનો દાવો છે કે આ નવા કોરોના વાઇરસના વેરિયન્ટના ફેલાવાની ક્ષમતા અને એનાથી મોતનું જોખમ બંને ખૂબ વધુ છે.
સાઉથ આફ્રિકાના ચામાચીડિયાઓમાં મળ્યો નવો વેરિયન્ટ
નિયોકોવ ચામાચીડિયાઓમાં ખૂબ ઝડપથી ફેલાય છે. એક રશિયન ન્યૂઝ એજન્સી અહેવાલ અનુસાર, કોરોનાનો આ નવો વેરિયન્ટ સાઉથ આફ્રિકાના ચામાચીડિયામાં જોવા મળ્યો છે.
આ વાઇરસથી માણસોને પણ જોખમ હોવાનું માનવામાં આવે છે. આ અગાઉ પણ 2019માં જ્યારે ચીનમાં વઉહાનમા કોરોના વાયરસ ચામાચીડિયા દ્વારા જ માણસોમાં ફેલાયાની વાત બહાર આવી હતી.
લેબમાંથી થયો લીક
ચીનના વુહાનની લેબમાં ચામાચીડિયા પર કરાતા પ્રયોગ દરમિયાન જ કોરોના વાઇરસ લીક થઈને માણસોમાં ફેલાયો. એક બીજી થિયરી અનુસાર, એ પણ પોસિબલ છે કે ચીને જાણીજોઈને કોરોના વાઇરસમાં જિનેટિક ફેરફાર કરીને તેને માણસોમાં ફેલાવ્યો હોય. જોકે ચીન આ થિયરીને વારંવાર નકારતું રહ્યું છે.
ચીનના કહેવા અનુસાર આ પશુઓમાંથી મણસોમાં ફેલાયો હતો અને પ્રાણીઓના માર્કેટમાંથી આવ્યો હતો.
નિયોકોવ વાયરસ કેવો છે?
રિસર્ચર્સના જણાવ્યા અનુસાર નવો વેરિયન્ટ નિયોકોવ ઘણા ખરા અંશે મર્સ-કોવ (MERS-CoV) વાઇરસ અને કોરોના વાઇરસ (SARS-CoV-2) બંનેને મળતો આવે છે.
નિયોકઓવમાં મૃત્યુનું જોખમ વધારે છે અને કોરોના વાયરસની જેમ ઝડપથી ફેલાવાના લક્ષણ પણ છે.
નિયોકોવ કોઈપણ પ્રકારની ઈમ્યુનિટીને થાપ આપવામાં સક્ષમ છે. આનાથી હાલની તમામ કોરોના વેક્સિન તેના પર અસરવિહીન થઈ શકે છે.
જેના જેવો આ વાયરસ માનવામાં આવે છે તે મર્સ-કોવ વાઇરસથી થનારી બીમારીથી દર 3માંથી 1 વ્યક્તિનું મોત થતું હતું. આ કારણથી જ નિયોકોવને પણ અત્યંત ખતરનાક માનવામાં આવે છે.
ઈન્સ્ટિટ્યૂટ ઓફ બાયોફિઝિક્સના સંશોધકોનો ચોંકાવનારો દાવો
વુહાન યુનિવર્સિટી એન્ડ ધ ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સીઝ, ઈન્સ્ટિટ્યૂટ ઓફ બાયોફિઝિક્સના સંશોધકોનો ચોંકાવનારો દાવો છે કે આ નવો કોરોના વાઇરસ માણસ સુધી પહોંચવા માટે એમાં બસ હવે વધુ એક મ્યૂટેશનની જ જરૂર છે.જેના કારણે લોકોમાં ચિંતા વધી છે અને પ્રીવેન્ટીવ પગલાં લેવા તરફ વિચારવામાં આવી રહ્યું છે.