પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે શનિવારના રોજ સુખબીર સિંહ બાદલના નિવેદનને એક રાજનીતિ કરાર આપતા નિશાન તાક્યું છે. અમરિંદર સિંહે કહ્યું કે તેઓ બાદલોની જેમ ન તો ડરપોક છે અને ના તો ગદ્દાર.
સુખબીર સિંહ બાદલના EDવાળા નિવેદન પર પ્રતિક્રિયા આપતા અમરિંદર સિંહે કહ્યું, ખેડૂતોની સાથે વિશ્વાસઘાત કરવાના કારણે સંપૂર્ણ રીતે અલગ-અલગ પડેલા બાદલ પોતાના જુઠ્ઠાણાને છુપાવા માટે ગભરાહટમાં આવું કરી રહ્યાં છે.
અમરિંદર સિંહે કહ્યું, આ સુખબીરની નિરાશાનું સ્તર છે કે તેઓ પંજાબ અને દેશની સુરક્ષા પર પાકિસ્તાનના ખતરાને અવગણી રહ્યું છે.
મુખ્યમંત્રી અમરિંદર સિંહે પૂછ્યું, 'શું તમે અને તમારી પાર્ટી શિરોમણી અકાલી દળ (SAD) સ્તાતમાં એટલા ભૂખ્યા થઇ ગયા છો કે પાકિસ્તાન પાસે આપણી સુરક્ષાના ખતરાને લઇને આંખો બંધ કરી દીધી છે? શું તમે એવું કહી રહ્યાં છો કે આપણા બહાદુર જવાનો પંજાબની સરહદ પર જે હથિયાર, ગોળાબારુદ અને ડ્રોન પકડે છે, તે ખતરો નથી. એવું લાગુ રહી છે કે સુખબીર બાદલ પુરી રીતે 'ગભરાઇ' ગયા છે.'
મુખ્યમંત્રી અમરિંદર સિંહે કહ્યું કે તેમના વિરુદ્ધ EDના મામલામાં નવું શુ છે, જે હુ અચાનકથી ડરવા લાગી જઇશ.
આ અગાઉ સુખબીર સિંહ બાદલે અમરિંદર સિંહ પર નિશાન તાકતા કહ્યું હતું કે અમરિંદર સિંહ ખેડૂતોના આંદોલનને રાષ્ટ્રીય સુરક્ષા સાથે કથિત રીતે જોડીને 'ભાજપની પટકથાને રીપીટ' કરી રહ્યાં છે.
બાદલે આરોપ લગાવ્યો છે કે અમરિંદર સિંહે દિલ્હી હાઇ કમાન્ડે બોલાવ્યાં હતા અને તેમને કહેવામાં આવ્યું હતું કે તેઓ ED અને ખેડૂતોની સાથે વિશ્વાસઘાતની વચ્ચે એકની પસંદગી કરે, ત્યાર બાદ મુખ્યમંત્રીએ ભાજપની આગળ 'સમર્પણ' કરી દીધું છે.