બિઝનેસમેન મુકેશ અંબાણી થ્રેટ મામલામાં સ્કોર્પિયો માલિક મનસુખ હિરેનની લાશ મળી તે મુદ્દે નવો ટ્વિસ્ટ આવ્યો છે.
મુકેશ અંબાણી થ્રેટ કેસમાં નવો વળાંક
પરિવાર અને પાડોશીઓનો આરોપ
મનસુખ ન કરી શકે આત્મહત્યા
પરિવાર અને પડોશિયોનું કહેવું છે કે હિરેન એક સારો માણસ હતો તે ક્યારેય આત્મહત્યા કરી શકે તેવો નહોતો. તે સોસાયટીમાં બાળકોને સ્વિમિંગ શીખવાડતા હતા. માટે ડૂબીને મોત થવાનો સવાલ જ પેદા નથી થતો.
મનસુખના પડોશી કહે છે કે તે સારા અને મિલનસાર વ્યક્તિ હતા. અમે 10-15 વર્ષોથી એકબીજાને ઓળખતા હતો. આ બધુ કેવી રીતે થઇ ગયુ તે ખબર પડતી નથી. તેમનો સંપૂર્ણ પરિવાર વિખેરાઇ ગયો. તેમના ત્રણ દિકરા છે.
સ્વિમિંગ શીખવાડતા હતા મનસુખ
પરિવારનું કહેવું છે કે મનસુખ સોસાયટીના બાળકોને સ્વિમિંગ શીખવાડતા હતા. તે ડૂબીને મરે તે વાતમાં અમને ભરોસો આવતો નથી. પરિવારનો આરોપ છે કે આ સુસાઇડ નથી.
વિટનેસની સુરક્ષા ન કરી શકી પોલીસ
મહારાષ્ટ્રના નેતા દેવેન્દ્ર ફડણવીસે મનસુખ મામલે મુંબઇ પોલીસ પર નિશાનો સાધ્યો છે. ફડણવીસે કહ્યું કે આ વાતની પણ તપાસ થવી જોઇએ કે જ્યારે મનસુખ ક્રોફર્ડ માર્કેટમાં આવ્યો ત્યારે તેને સૌથી પહેલા મળવાવાળો વ્યક્તિ કોણ હતો.
NIAને સોંપવામાં આવે કેસ
પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના કહ્યાં અનુસાર મુંબઇ પોલિસની તપાસ યોગ્ય દિશામાં નથી થઇ રહી. તપાસ NIAને સોંપવામાં આવે. ફડણવીસે તે પણ સવાલ ઉઠાવ્યો કે સચિન વઝેને જ આ ધમકીભર્યો પત્ર કેમ મળ્યો અને તે ઘટનાસ્થળ પર કેવી રીતે પહોંચ્યા. આ તમામ વાતો સંદેહ પેદા કરે છે.