બનાસકાંઠાઃ જિલ્લાના અમીરગઢ તાલુકાના ઢોલીયા ગામેથી હત્યાનો બનાવ સામે આવ્યો છે. પત્ની સાથે આડાસંબંધ હોવાની શંકા રાખી ભત્રીજાએ તીક્ષ્ણ હથિયાર વડે કાકાની હત્યા કરી છે.
પ્રાથમિક તપાસમાં તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ફરાર આરોપીને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે. હત્યાની ઘટનાને પગલે કાકાના પાંચ બાળકો નિરાધાર થયા છે.
સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. ઘટનાની વિગત કંઇક આવી છે કે પત્ની સાથે આડાસંબંધની અણસમજ રાખી સગા કાકાની ભત્રીજાએ હત્યા કરી છે.
મૃતકની પત્ની 3 વર્ષ અગાઉ અગમ્ય કારણોસર મોતને ભેટી હતી. મૃતકના પાંચ બાળકો આજે માતાપિતાની છત્રછાયા ગુમાવી છે.