રશિયામાંથી સૈન્ય હુમલાની વચ્ચે યુક્રેનમાંથી નિકળી રહેલા ભારતીયોને પાડોશી દેશ પોલેન્ડનો મોટો સહારો મળી રહ્યો છે. પોલેન્ડમાં તેમને રહેવા-ખાવા અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવામાં આવી રહી છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહ્યો છે વિવાદ
યુક્રેનમાં ફસાયેલા છે ભારતીય વિદ્યાર્થીઓ
પોલેન્ડમાંથી મળી રહી છે વિદ્યાર્થીઓને મદદ
રશિયામાંથી સૈન્ય હુમલાની વચ્ચે યુક્રેનમાંથી નિકળી રહેલા ભારતીયોને પાડોશી દેશ પોલેન્ડનો મોટો સહારો મળી રહ્યો છે. પોલેન્ડમાં તેમને રહેવા-ખાવા અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવામાં આવી રહી છે. ક્યારેક ભારતે પોલેન્ડના સેંકડો બાળકોને આશરો આપ્યો હતો, તે સમયે પોલેન્ડે આ જ રશિયાના હુમલાનો શિકાર થયું હતું. હકીકતમાં જોઈએ તો, જગત કલ્યાણની કલ્પના ભારતીય માનસપટ પર પહેલાથી બનેલી છે. પશ્ચિમી દેશ પોલેન્ડે તેનો અનુભવ કર્યો અને ભાવવિભોર થઈ ચોક, પાર્ક, સ્કૂલોને પણ ભારતના મહારાજાનું નામ આપી દીધું. તે હતા તત્કાલિન જામનગર રજવાડાના મહારાજા દિગ્વિજય સિંહજી જાડેજા. તેમણે પોલેન્ડના નવા છોડમાં તે સમયે સિંચ્યા હતા, જ્યારે જર્મની અને રશિયાના હુમલામાં નિ:સહાય થઈ ગયું હતું. વાત થઈ રહી છે કે, યુદ્ધમાં અનાથ થયેલા પોલેન્ડના લગભગ 1000 બાળકોની, જેને મહારાજા દિગ્વિજય સિંહે ન ફક્ત આશરો આપ્યો, પણ એક પિતા જેવી છત્રછાયા પણ આપી. પોલેન્ડ સરકારે મહારાજા દિગ્વિજય સિંહને મરણોપરાંત પોતાનું સર્વોચ્ચ નાગરિક સન્માન કમાંડર્સ ક્રોસ ઓફ દ ઓર્ડર ઓફ મેરિટથી નવાજ્યા હતા.
વાત છે દ્રિતિય યુદ્ધ વખતની...
હકીકતમાં દ્વિતિય વિશ્વયુદ્ધ દરમિયાન વર્ષ 1939માં જર્મનીએ પોલેન્ડ પર હુમલો કર્યો હતો, જર્મન તાનાશાહ હિટલર અને સોવિયત રશિયાના તાનાશાહ સ્ટાલિનની વચ્ચે ગઠબંધન થયું. જર્મન અટેકના 16 દિવસ બાદ સોવિયત સેનાએ પોલેન્ડ પર આક્રમણ કર્યું, બંને દેશોનું પોલેન્ડ પર કબ્જો ન થાય ત્યાં સુધી તબાહી થઈ. હજારો સૈનિકો માર્યા ગયા અને મોટી સંખ્યામાં બાળકો અનાથ થઈ ગયા. તે બાળકો કેમ્પમાં અત્યંત અમાનવીય હાલતમાં જીવવા માટે મજબૂર બન્યા. બે વર્ષ બાદ 1941માં રશિયાએ કેમ્પ ખાલી કરવાનું ફરમાન આપ્યું. ત્યારે બ્રિટેનની વોર કેબિનેટની મીટિંગ થઈ અને તે વિકલ્પો પર વિચાર કરવામાં આવ્યો કે, કેમ્પમાં રહેતા પોલિશ બાળકો માટે શું શું કરી શકાય.
દિગ્વિજય સિંહ જાડેજાની દરિયાદિલી
બ્રિટિશ વોર કેબિનેટની મીટિંગમાં નવાનગરના રાજા દિગ્વિજય સિંહ જાડેજા શામેલ હતા. આપને જણાવી દઈએ કે, આજનું જામનગર તે સમયે નવાનગર તરીકે ઓળખાતું હતું. ભારત પર ત્યારે અંગ્રેજોની હકુમત હતી અને જામનગર બ્રિટિશ રિયાસત હતી. દિગ્વિજય સિંહે કેબિનેટની સામે પ્રસ્તાવ રાખ્યો કે, તે અનાથ બાળકોને દેખરેખ કરવા માટે ઉત્સુક છે અને તેમને નવાનગર લઈ જવા માગે છે. તેમના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી મળી ગઈ અને બ્રિટિશ સરકારે મહારાજાને વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું.
1000 બાળકોનું પાલન પોષણ કર્યું
બ્રિટિશ સરકાર, બોમ્બે પોલિશ કોન્સ્યુલેટ, રેડ ક્રોસ અને રશિયાની અધિન પોલિશ ફૌઝના સંયુક્ત પ્રયાસથી બાળકોને ભારતમાં મોકલવામાં આવ્યા. 1942થી 170 બાળકોનો પહેલો જથ્થો જામનગર પહોંચ્યો. આવી રીતે અલગ અલગ જથ્થામાં લગભગ 1000 નિ: સહાય બાળકો ભારતમાં આવ્યા. મહારાજા દિગ્વિજય સિંહજીએ જામનગરથી 25 કિમી દૂર બાલાચડી ગામમાં આશરો આપ્યો. મહારાજાએ બાળકોને આશ્વાસન આપ્યું કે, હવેથી તે જ તેમના પિતા છે.
તમામ ખર્ચો મહારાજાએ ઉઠાવ્યો
બાલાચડીમાં દરેક બાળકોને અલગ અલગ બેડ આપવામાં આવ્યા, ત્યાં ખાવા-પીવાની, કપડા લત્તા અને સ્વાસ્થ્ય સુવિધાઓ સાથે સાથે તેમને રમવા માટે સુવિધા આપવામાં આવી. પોલેન્ડના બાળકો માટે ફૂટબોલ કોચ પણ મોકલાવ્યો. જેથી આ બાળકો પોતાની અલગ ન માને. એટલા માટે તેમના માટે એક લાઈબ્રેરી બનાવી અને ત્યાં પોલિશ ભાષાના પુસ્તકો પણ રાખવામાં આવ્યા. પોલિશ તહેવારો પણ ધૂમધામથી મનાવામાં આવતા. આ બધો ખર્ચ મહારાજાએ ઉઠાવ્યો હતો. તેમણે આના માટે ક્યારેય પોલેન્ડ પાસે ખર્ચો માગ્યો નહોતો.
મહારાજાની મહાનતાને ન ભૂલ્યું પોલેન્ડ
વર્ષ 1945માં વિશ્વયુદ્ધ ખતમ થવા પર પોલેન્ડના સોવિયત યુનિયનેમાં ભળી ગયું. આગામી વર્ષે પોલેન્ડની સરકારે ભારતમાં રહેતા બાળકોને પાછા લાવવાનું વિચાર્યું. તેમણે મહારાજા સાથે વાત કરી. મહારાજાએ પોલિશ સરકારને કહ્યું કે, આપના બાળકો તમારી અમાનત છે, આપ જ્યારે પણ ઈચ્છો, લઈ જાવ. મહારાજાએ હા પાડી તો બાળકોની વાપસી થઈ.
પોલેન્ડમાં મહારાજાને સન્માન
43 વર્ષ બાદ સન 1989માં પોલેન્ડ સોવિયત સંઘથી અલગ થઈ ગયું. સ્વતંત્ર પોલેન્ડની સરકારે રાજધાની વોરસોના એક ચોકનું નામ દિગ્વિજય સિંહના નામ પર રાખ્યું. જો કે, મહારાજાનું નિધન 20 વર્ષ પહેલા 1966માં થઈ ચુક્યું હતું. બાદમાં 2012માં વોરસોના એક પાર્કનું નામ પણ આપવામાં આવ્યું. આગામી વર્ષ 2013માં વોરસોમાં ફરીથી એક ચોકનું નામ ગુડ મહારાજ સ્ક્વેયર નામ આપવામા આવ્યું એટલું જ નહીં, મહારાજા દિગ્વિજય સિંહજી જાડેજાને રાજધાનીના લોકપ્રિય બેડનારસ્કા હાઈ સ્કૂલનના માનદ સંરક્ષક તરીકેનો દરજ્જો પણ આપ્યો. પોલેન્ડે મહારાજાને પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માન કમાંડર્સ ક્રોસ ઓફ દિ ઓર્ડર ઓફ મેરિટ પણ આપ્યું છે.
વૃદ્ધાવસ્થામાં બાલાચડી પહોંચ્યા એ બાળકો
વર્ષ 2013માં પોલેન્ડથી નવ વૃદ્ધોનો એક જથ્થો બાલાચડીમાં આવ્યો હતો. આ તમામે બાળપણના પાંચ વર્ષ અહીં વિતાવ્યા હતા. જેઓ અહીં આવીને ભાવૂક થઈ ગયા હતા. જે લાઈબ્રેરીમાં એક સમયે તેઓ વાંચતા હતા, તે આજે સૈનિક સ્કૂલમાં પરિવર્તિત થઈ ગઈ છે. અહીં તેંમની નજર તેમની યાદમાં બનાવેલા સ્તંભ પર પડી અને દરેકની આંખમાંથી આંસૂ વહેવા લાગ્યા. ભારતમાં યોજાતી ક્રિકેટ રણજી ટ્રોફી મહારાજા દિગ્વિજય સિંહજી જાડેજાના પિતા મહારાજા રણજીત સિંહજી જાડેજાના નામ પર જ રમાય છે. રણજીત સિંહજી પ્રોફેશનલ ક્રિકેટ હતા. તેમના નામ પર અંગ્રેજોએ 1934માં રણજી ટ્રોફી ક્રિકેટ ટૂર્નામેન્ટ શરૂ કરી હતી. આ ભારતની સૌથી મોટી ડોમેસ્ટિક ક્રિકેટ ટૂર્નામેન્ટ છે.