ભાવનગરમાં મહાનગરપાલિકાએ શહેરી વિસ્તારમાં સમાવેશ કરેલા નારી ગામના રસ્તાઓની જવાબદારી સ્વીકારવાનું શરૂ કરું ત્યાં જ ગળે ઘંટ બાંધવા જેવી સ્થિતિ સર્જાઈ છે.
મનપાની ગંભીર બેદરકારીથી નારી ગામ નજીક એક જર્જરીત પુલ તૂટયો હોવાનું સામે આવ્યું છે. જોકે રાત્રી દરમિયાન પુલ તૂટતાં મોટી દુર્ઘટના સર્જાતા અટકી ગઈ હતી અને મનપાએ સમારકામ ન કરતા જર્જરીત પુલનો અમુક ભાગ તૂટી ગયો હતો.
મહત્વપૂર્ણ છે કે જર્જરીત પુલની સમારકામની જવાબદારી આર એન્ડ બીના બદલે મનપાને કરવાની હોય છે. ત્યારે જર્જરીત પુલનું સમારકામ મનપાએ કર્યુ નહતું.
જોકે પુલ તૂટતા ગામના લોકોનું ધ્યાન જતાં વાહનો બંધ કરી દેવાયા હતા. અને સમગ્ર ઘટનાને પગલે પદાધિકારીઓ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તાત્કાલિક ધોરણે મરામતનું કામ રાતોરાત શરૂ કરાવ્યું હતું...