લોકડાઉન / કોટ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધતા AMC દ્વારા નહેરુ બ્રિજ અને કાલુપુર શાક-ફ્રૂટ માર્કેટ બંધ કરાયું

Nehru bridge Close Ahmedabad Municipal Commissioner Vijay Nehra

રાજ્યમાં 169 કોરોનાના કેસ થયા છે. ત્યારે અમદાવાદમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. આજે વધુ 13 નવા કેસ નોંધાયા છે. જેમાંથી અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. સોમવારે અમદાવાદમાં 11 કેસ નોંધાયા હતા અને આજે 13 કેસ નોંધાયા છે. એટલે અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસમાં અંદાજે 30 જેટલા કેસમાં વધારો થયો છે. અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. અમદાવાદનો પૂર્વ વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત છે. ત્યારે આ પૂર્વ વિસ્તારનો સંપર્ક ઓછો કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ