જાન્યુઆરી 2020 થી નેહા કક્કર અને આદિત્ય નારાયણના લગ્નની ચર્ચા થવા લાગી હતી. નેહા અને આદિત્ય ઇન્ડિયન આઇડલ 11 ના મંચ પર લગ્ન કરશે. જોકે આ TRP સ્ટંટ નીકળ્યો. જોકે હવે પહેલી વખત નેહા કક્કરે આદિત્યના લગ્ન અંગે ખુલાસો કર્યો છે.
તાજેતરમાં જ આપેલા નેહા કક્કરે જણાવ્યુ કે, આદિત્ય ટૂંક સમયમાં લગ્ન કરવાનો છે. જો કે લગ્ન નેહા સાથે નહી કારણ કે આદિત્ય તેની લોંગ ટાઇમ ગર્લફ્રેન્ડ સાથે સાત ફેરા લેવાનો છે. નેહાએ ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, ''આદિત્ય ઘણો સારો માણસ છે, તેનું દિલ સોનાનું છે. હું ખુશ છું કે મારો દોસ્ત આદિત્ય પોતાની લોંગ ટાઇમ ગર્લફ્રેન્ડ સાથે આ વર્ષે જ લગ્ન કરવાનો છે. હું તેના માટે ખુશીઓની કામના કરું છું.''
નેહા અને આદિત્યના લગ્નની ચર્ચાના પછી આદિત્યનુ એક નિવેદન આવ્યુ હતુ, જેમાં આદિત્યે કહ્યુ કે, ''જો હું મારી જિંદગીનો એટલો મોટો નિર્ણય લઇશ તો હું પોતે જાહેરાત કરીશ. લગ્ન, મારા માટે એક મોટો નિર્ણય છે. હું છુપાવીશ નહી. આ બધુ મજાક તરીકે શરૂ થયેલું, જેને લોકોથી ગંભીરતાથી લઇ લીધું હતુ.''
ઇન્ડિયન આઇડલ 11 માં પોતાની જર્ની વિશે વાત કરતા નેહાએ કહ્યુ કે, ''મારી ઇન્ડિયન આઇડલની જર્ની ખૂબ સારી રહી. હું મારી જાતને નસીબદાર માનું છું. હું મારી જાતને નસીબદાર માનું છું, વિશાલ દદલાની અને હિમેશ રેશમિયા જેવા કલાકારો સાથે સ્ટેજ શૅર કરવાની તક મળી.''