બોલિવૂડની સિંગિંગ ક્વીન નેહા કક્કડ છેલ્લા કેટલાક દિવસથી સતત ચર્ચામાં છે. નેહા કક્કડે હાલમાં જ તેનો એક નવો સોન્ગ ખ્યાલ રખ્યા કર રિલીઝ કર્યો છે. જેમાં તે તેના પતિ રોહનપ્રીત સિંહ સાથે જોવા મળી રહી છે. નેહા આ પહેલાં પ્રેગ્નેન્સીને લઈને પણ ચર્ચામાં હતી. જોકે, પછી ખબર પડી કે આ તેના સોન્ગ ખ્યાલ રખ્યા કરના પ્રમોશન માટે કરવામાં આવ્યું હતું. ત્યારે હવે નેહા કક્કડ તેની દરિયાદિલીને કારણે ચર્ચામાં છે. સિંગરે પુણેના રસ્તાઓ પર લાઠીદાવ દેખાડનાર શાંતાબાઈ પવાર એટલે કે વોરિયર આજીની મદદ માટે હાથ લંબાવ્યો છે.
બોલિવૂડની સિંગિંગ ક્વીન નેહા કક્કડ છેલ્લા કેટલાક દિવસથી સતત ચર્ચામાં છે
નેહા કક્કડે હાલમાં જ તેનો એક નવો સોન્ગ ખ્યાલ રખ્યા કર રિલીઝ કર્યો છે
નેહા કક્કડે વોરિયર આજીને મદદ કરવા માટે એક લાખ રૂપિયાની રકમ આપી છે. લોકડાઉન દરમિયાન વોરિયર આજીએ પોતાના પર્ફોમન્સનો એક વીડિયો શેર કર્યો હતો, જેના કારણે તેઓ રાતોરાત ઇન્ટરનેટ પર છવાઈ ગયા હતા. વોરિયર આજી તરીકે જાણીતા શાંતાબાઈ પવારે જણાવ્યું હતું કે તે આઠ વર્ષની ઉંમરથી લાઠીદાવ કરી રહ્યાં છે.
— Dadi Chandro Tomar (@realshooterdadi) July 24, 2020
વોરિયર આજીએ એમ પણ કહ્યું કે તેઓ 10 અનાથ છોકરીઓની સંભાળ રાખે છે. જોકે હવે શાંતાબાઈની ઉંમર 80 વર્ષની થઈ ગઈ છે અને આવી સ્થિતિમાં તેમને લાઠીદાવ કરવામાં સમસ્યા આવી રહી છે. હાલમાં જ વોરિયર આજી ઈન્ડિયન આઈડલના શો પર પહોંચી હતી, જ્યાં તેમણે પોતાની કહાની શેર કરી હતી. ઈન્ડિયન આઈડલના શોમાં જજ બનેલી નેહા કક્કડ વોરિયર આજીની કહાની સાંભળી ખૂબ જ પ્રેરિત થઈ જાય છે અને નેહા તેમની મદદ કરવા તેમને 1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરે છે.