ભાવનગરમાં શનિવારે સરકારે સૌની યોજનાના ફેઈઝ-2માં બોરતળાવ ખાતે સૌની હેઠળ પાણી ભરવામાં આવ્યું હતું, તે સાથે બોરતળાવને ડેકોરેશન કરવામાં આવ્યું, તે દરમિયાન લોકોની બેદરકારી જોવા મળી
ભાવનગરમાં કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લેઆમ આમંત્રણ
બોરતળાવનું 5 દિવસ માટે ડેકોરેશન રાખવામાં આવ્યું છે
સૌની યોજનાના ફેઈઝ-2 અંતર્ગત પાણી ભરાયું
ભાવનગરમાં કોરોનાની ત્રીજી લહેરને લોકો ખુલ્લેઆમ આમંત્રણ આપતા જોઇ શકાય છે. ભાવનગરમાં શનિવારે સરકારે સૌની યોજનાના ફેઈઝ-2માં બોરતળાવ ખાતે સૌની હેઠળ પાણી ભરવામાં આવ્યું હતું. બોરતળાવને ડેકોરેશન કરવામાં આવ્યું છે. આ ડેકોરેશન 5 દિવસ માટે રાખવામાં આવ્યું છે. ત્યારે રવિવારે સાંજે બોરતળાવ ખાતે લોકોની ભીડ ઉમટી હતી. લોકો જાણે કોરોનાનો ખોફ ભૂલી ગયા હોય એ રીતે માસ્ક અને સામાજિક અંતર વગર બિન્દાસ્ત ઘૂમી રહ્યાં હતાં.