SMC ક્રોમા આવાસના પહેલા માળના સ્લેબના પોપડા ખરી પડ્તા મોટી દુર્ઘટના સ્હેજમા અટકી હતી. અડાજણ વિસ્તારમાં 8 વર્ષ પહેલાં મનપા દ્વારા બનાવાયેલ આવાસનો અમુક ભાગ જમીન દોસ્ત થયો હતો.
સુરત મનપાની બેદરકારી આવી સામે
ક્રોમા આવાસના ઘર જર્જરિત હાલતમાં
8 વર્ષ પહેલા બનાવાયેલ આવસના માળના સ્લેબમાથી પડ્યા પોપડા
સુરતના અડાજણમાં આવેલા ક્રોમા આવાસ જર્જરીત હાલતમાં હોવાથી લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. તેવામાં આજે આવાસના પહેલા માળના સ્લેબના પોપડા પડ્યા હોવાનું સામે આવ્યું છે. આમ સુરત મનપાની બેદરકારી સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે 8 વર્ષ પહેલાં મનપા દ્વારા આવાસનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં નબળી કામગીરી કરવામાં આવી હોવાની સ્થાનિકો રાવ ઉઠાવી રહ્યા છે.
આવાસ ખૂબ હલકી ગુણવત્તાના મટીરીયલથી બનાવાયા: રહીશો
8 વર્ષ અગાઉ જ સુરત મહાનગરપાલિકા દ્વારા નવાનકોર ક્રોમા આવાસનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેના થોડા સમયબાદ જ હાલ તે ખખડધજ હાલતમાં બનતા તંત્રની કામગીરી શંકાના દાયરામાં આવી છે. હજુ પણ એકા એક સ્લેબ તૂટી પડે તેવી સ્થિતિ છે. આજે અમુક હિસ્સો તૂટી પડતા બિલ્ડિંગમાં રમતા બાળકોના જીવ જોખમમાં મુકાયા હતા. ઉલ્લેખનિય છે કે અગાઉ પણ બીજા માળનો કાટમાળ પડ્યો હતો. આથી લોકોએ આ મામલે ઘટતું કરવા માંગ ઉઠાવી હતી. છતાં પણ તંત્ર આ મામલે નિંદ્રામાં સુતું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તંત્રની આ ઉદાસીનતાથી ગરીબ લોકોના જીવ ભગવાન ભરોસે હોય તેવો ઘાટ સર્જાયો છે.
થોડા સમય અગાઉ થયા હતું બાળકીનું મોત
મહત્વનું છે કે થોડા સમય અગાઉ સુરતના પાંડેસરા વિસ્તારમાંથી અચાનક જર્જરિત આવાસનો સ્લેબ તૂટી પડ્યો હતો. જેને લઈને એક બાળકીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. છતાં પણ તંત્ર દ્વારા હજુ આ મામલે ગંભીરતા દાખવવામાં આવતા લોકો આક્રોશ વ્યકત કરી રહ્યા છે.