ખેડા જિલ્લાના વંઘરોલી ગામના દેવેન્દ્રભાઈ રાવલને કમરમાં દુઃખાવો અને પેશાબ કરવામાં સમસ્યા થતાં વર્ષ 2011માં મહીસાગરની બાલાસિનોર તાલુકાની KMG જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા જ્યાં 14 MMની પથરીને કારણે દર્દીને આ સમસ્યા થઇ હતી તેવુ નિદાન કરવાં આવ્યું હતું પણ ઓપરેશન વખતે હોસ્પિટલની જીવલેણ બેદરકારીનો ભોગ દર્દી બન્યા હતા પથરીના ઓપરેશન વખતે ડોક્ટરે કિડની જ કાઢી નાખતા દર્દીનું 4 મહિનામાં મોત થયું હતું. ત્યારે આજે ગ્રાહક કોર્ટે 1 લાખનું વળતર ચૂકવવા હોસ્પિટલને આદેશ આપ્યો છે એ પણ વ્યાજ સહિત..
ઓપરેશન વખતે શું બન્યું?
ખેડાના દર્દી દેવેન્દ્રભાઈ રાવલને મે 2011માં ડાબી કિડનીમાં 14 એમએમની પથરીનો દુખાવો ઉપડ્યો હતો. દર્દ અસહ્ય થતાં પરિવારે દર્દીનું ઓપરેશન કરવાનો નિર્ણય કર્યો હતો. 3 સપ્ટેમ્બર 2011માં તેમનું ઓપરેશન મહીસાગરની બાલાસિનોર તાલુકાની KMG જનરલ હોસ્પિટલમાં થયું હતું. જ્યાં ઓપરેશન વખતે પથરીની જગ્યાએ ડોક્ટરે કિડની જ કાઢી નાખી હતી. અને બાદમાં પરિવારને જણાવ્યું હતુ કે પથરીને જગ્યાએ તેમને કિડની કાઢવી પડી છે કારણ કે ઈન્ફેક્શન વધારે હતું. ડોક્ટરે પરિવારની જાણ બહાર જ દર્દીની કિડની કાઢી નાખી હતી, જે બાદ દર્દીનું 4 મહિનામાં જ મોત થઈ ગયું હતું.
KMG જનરલ હોસ્પિટલની જીવલેણ બેદરકારી
સામાન્ય ગણાતા એવા પથરીના ઓપરેશનમાં કિડની કાઢવાની નોબત જ ન આવે. સમગ્ર મામલે હોસ્પિટલની જીવલેણ બેદરકારી છતી થઈ હતી. પરિવાર કોર્ટેના શરણે ગયો હતો. જ્યાં ગુજરાત કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિએડ્રેસલ કમિશને પથરીની જગ્યાએ કિડની કાઢી દર્દીના જીવ લેનાર બાલાસિનોરની KMG જનરલ હોસ્પિટલને દર્દીના સંબંધીને 11.23 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે.
મૃતક દર્દીના સંબંધી 7.5 ટકાના વ્યાજ સાથે વળતર ચૂકવણું કરવા આદેશ
આ બાબતે ગ્રાહક કોર્ટે હોસ્પિટલને ઓપરેશન વખતે થયેલી બેદરકારીને કારણે સીધા કે આડકતરી રીતે દર્દીનો જીવ ગયો હોય તેવુ સંજ્ઞાન લીધું છે. કોર્ટે અવલોકનમાં કહ્યું હતું કે એમ્પ્લોયર માત્ર પોતાના કૃત્યો અને કમિશન માટે જવાબદાર નથી, પણ કર્મચારીઑની બેદરકારી માટે પણ જવાબદાર છે જ્યાં સુધી તે ફરજ દરમિયાન હાજર હોય. આ જવાબદારી રિસ્પોન્ડન્ટ સુપિરિયરના સિદ્ધાંત મુજબ ''માલિકને જવાબ આપવા દો''ના પર આધારીત છે. આથી KMG જનરલ હોસ્પિટલને વર્ષ 2012થી અત્યાર સુધી 7.5 ટકાના વ્યાજ સાથે 11.23 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ પારિત કર્યો છે.
કિડની કામ કરતી બંધ થતાં દર્દીનું મોત
ઓપરેશન વખતે દર્દી અને પરિવારની જાણ બહાર હોસ્પિટલના ડોક્ટરે કિડની જ કાઢી નાખી હતી આ થી પથરીની પીડાતા દેવેન્દ્રભાઈ રાવલ હવે કિડની વગરના થઈ જતાં તેમની તકલીફમાં અસહ્ય વધારો થઈ ગયો હતો.આથી નડિયાદની હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવાની સલાહ આપવામાં આવી. જોકે ત્યાં પણ તેમની સ્થિતિ ન સુધરતા તેમને અમદાવાદની IKDRC હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાં 8 જાન્યુઆરી 2012માં કિડની કામ કરતી બંધ થઈ જતા દર્દી મોતને ભેટયા હતા.