એ 20 મિનિટ ન વેડફાઈ હોત તો દર્દીનો કદાચ જીવ બચી ગયો હોત, મા કાર્ડ ધારકને ઈમરજન્સી સારવાર કેમ ન મળી?
રાજકોટમાં માનવતા ભૂલી બી.ટી.સવાણી હોસ્પિટલ
રૂપિયાના વાંકે જિંદગી સામે દર્દી હાર્યો જંગ
પેમેન્ટ મોડું થયું અને મોતની ઘડી આવી ગઈ
કોરોના કાળમાં દર્દીઓને લૂટનારી હોસ્પિટલની પર સરકાર પગલાં લેવાનું ભૂલી ગઈ, ફાયર સેફટી વિનાની હોસ્પિટલમાં અગ્નિકાંડમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા એમને ઝડપી ન્યાય આપવાનું સરકાર ભૂલી ગઈ, પણ હવે તો કેટલીય હોસ્પિટલો માનવતાને ખુલ્લે આમ નેવે મૂકી રહી છે. પેમેન્ટ અને બિલના ચક્કરમાં દર્દીનો હોસ્પિટલ બહાર જીવ જઈ રહ્યો છે તો પણ સ્થાનિક તંત્ર કઈ પગલાં લઈ રહ્યું છે ન સરકાર.. આવી જ એક બેદરકાર ભરી ઘટના રાજકોટમાં ઘટી છે. જ્યાં 20 હજારનું પેમેન્ટ એડમિટ થાય તે પહેલા ચૂકવવાની જિદે હોસ્પિટલમાં એક દર્દીને જીવ ખોવાનો વારો આવ્યો છે.
બી.ટી.સવાણી હોસ્પિટલની ઘોર બેદરકારી
રાજકોટમાં આવેલી બી.ટી.સવાણી હોસ્પિટલના સત્તાધીશોને દર્દીના જીવ કરતાં રૂપિયા વ્હાલા લાગ્યા. પેમેન્ટ બાદ જ દાખલ કરવાની હોસ્પિટલની નીતિને કારણે એક આધેડ વયના દર્દીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ઈમરજન્સીમાં સારવારની જરૂર હોવા છતાં ચૂકવણું થોડું લેટ કરવામાં આવ્યું અને દર્દી તરફડિયા મારતો હોવા છતાં ભગવાન દરજ્જો આપેલા બી.ટી.સવાણી હોસ્પિટલનો સ્ટાફ નિયમ નિયમ કરતો રહ્યો અને દર્દીનો જીવ જતો રહ્યો.
શું સમગ્ર મામલો?
ઝાકીરભાઇ દર્દિના સગાના આરોપ મુજબ ગંભીર હાલતમાં વધુ સારવાર માટે તેમના સગા દર્દીને સ્ટર્લિંગ હોસ્પિટલમાંથી બી.ટી.સવાણી હોસ્પિટલ રિફર કરાયા હતા. જ્યાં તેઓને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવતા હતા. બી.ટી.સવાણી હોસ્પિટલમાં દાખલ કરવા માટે હોસ્પિટલ તંત્રએ 20 હજાર એડવાન્સ માગ્યા હતા. દર્દીના સગાના કહેવા મુજબ દર્દી મા કાર્ડ ધારક હતો. પણ દર્દીની હાલત વધુ ગંભીર હોવાને કારણે તેણે તાત્કાલિક સારવારની જરૂર હતી પણ હોસ્પિટલ સ્ટાફે માનવતા ન દાખવતા નિયમ બતાવી પહેલા 20 હજાર જમાં કરાવાયનો સગા પર ફોર્સ કર્યો હતો. જેથી દર્દીની તબિયત સારવાર ન મળતા વધુ બગડી હતી. દર્દીના સગાઓએ પૈસાની સાથે ડોક્યુમેન્ટ જમા કરાવાની તૈયાર બતાવી હતી. પણ હોસ્પિટલ તંત્ર ટસનું મસ ન થયું.
સારવાર મોડી મળતા દર્દીનો ગયો જીવ..!
આખરે દર્દીના સગાઓએ ઑનલાઇન પેમન્ટ મારફ્ત હોસ્પિટલના ખાતામાં 20 હજાર રૂપિયા નંખાવ્યા હતા બાદમાં દર્દીને બી.ટી.સવાણી હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ટુંકી સારવાર બાદ દર્દીને મૃત જાહેર કરવામાં આવતા સગા સંબંધીઓ પડી ભાગ્યા હતા અને હોસ્પિટલ તંત્રએ રૂપિયાની લ્હાયમાં મોડી સારવાર આપી દર્દીનો જીવ ગુમાવાનો વારો આવ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો.
સળગતા
દર્દીને દાખલ કરવામાં વિલંબ શા માટે?
શું પેમેન્ટ વિના હોસ્પિટલ દર્દીને દાખલ ન કરી શકે?
દર્દીનો જીવ મહત્વનો છે કે હોસ્પિટલની ફી?
દર્દીના મૃત્યુની જવાબદારી કોની?
મૃત્યુ મામલે હોસ્પિટલ સામે થશે કોઇ કાર્યવાહી?
નાણાં ખંખેરતી હોસ્પિટલો સામે કેમ નથી થતી કાર્યવાહી?
હોસ્પિટલ સામે કાર્યવાહી કરી દર્દીને ન્યાય અપાશે?
આટલેથી ન અટકતા દર્દીનો મૃતદેહ લેવામાં પણ સગાઓને હેરાન કરવામા આવ્યા હતા. અને પહેલા પીએમ થશે પછી જ બોડી મળશે તેવુ રટણ અને વલણ રાખવામાં આવ્યું હતું. કંટાળેલા દર્દીએ હોસ્પિટલમાંથી જ સીધો આરોગ્ય મંત્રીને ફોન ઘુમાવ્યો હતો અને સમગ્ર ઘટનાની આપવીતી જણાવી હતી. આરોગ્ય મંત્રીએ પણ જરુરી પગલાંની ખાતરી આપી.