રાજકોટ બાદ અમદાવાદમાં પણ ટેસ્ટીંગ માટે લાંબી લાઈનો લગાવાઈ રહી છે. ઉત્તરાયણના તહેવાર બાદ કોરોના તાંડવ મચાવી રહ્યો છે ત્યારે બે ડોઝ લીધેલા નાગરીકો પણ કરાવી રહ્યા છે ટેસ્ટીંગ
અમદાવાદમાં સંક્રમણને લઈને વ્યાપ્યો ફફડાટ
ટેસ્ટીંગ માટે ડોમ પર જોવા મળે છે લાંબી કતાર
કોરોનાના કેસ 5 હજારની સપાટી વટાવી શકે છે
ગુજરાતમાં કોરોનાના કેસ 10 હજારની આસપાસ છે ત્યારે, રાજ્યના નાગરિકોમાં ઠંડી સાથે કોરોના સંક્રમણ અંગે ભયનું લખલખું પ્રસરી રહ્યું હોય તેમ, રાજકોટ બાદ અમદાવાદમાં પણ ટેસ્ટીંગ માટે લાંબી લાઈનો લગાવાઈ રહી છે. ઉત્તરાયણના તહેવાર બાદ કોરોના તાંડવ મચાવી રહ્યો છે ત્યારે બે ડોઝ લીધેલા નાગરીકો પણ સંક્રમણનાં ડરે ટેસ્ટીંગ કરાવી રહ્યા છે. ઠેર-ઠેર ટેસ્ટિંગ ડોમ પર લોકોની લાંબી લાઇનો જોવા મળી રહી છે.
અમદાવાદમાં સંક્રમણની 'સુપર સ્પીડ' ?
અમદાવાદ શહેરમાં આજે કોરોનાના કેસ 5 હજારની સપાટી વટાવે તેવી શક્યતા જોવાઈ રહી છે. તહેવારો દરમિયાન લોકોએ ગાઇડલાઇનનું ઉલ્લંઘન કર્યા પછી હવે અંદરથી ફફડાટ અનુભવી રહેલા નાગરીકો હવે ટેસ્ટીંગ માટે કતારમાં ઉભેલા જોવા મળી રહ્યા છે. વસ્ત્રાપુરમાં કોરોના એગ્રેસીવ ટેસ્ટિંગ ડોમ પર લાગી લાંબી લાઈન લાગી હતી. આ વિસ્તારના ડોમમાં ઘણા સમય બાદ કોરોના ટેસ્ટ માટે જોવા લાંબી લાઈન મળી રહી હતી
હાલમાં શહેરમાં કુલ 147 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન અમલમાં છે.
ત્યારે #COVID19 સંક્રમણ અટકાવવા અ.મ્યુ.કો. દ્વારા આજે જાહેર કરાયેલા નવા કુલ 4 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનની યાદી. pic.twitter.com/q4abNRhahN
ગુજરાતમાં કોરોના દિવસે બે ગણો અને રાત્રે ચાર ગણો કહેવતની જેમ તેજ ગતિથી લોકોને જકડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 10,150 કેસ સામે આવતા ત્રીજી લહેરની ખતરનાક સ્થિતિ આંખ સામે તરી રહી છે. આજે સૌથી વધુ અમદાવાદમાં 3315 કેસ સામે આવ્યા છે જ્યારે સુરતમાં 2752 કેસ તો રાજકોટમાં 467 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 264 કેસ, ભાવનગરમાં 376 કેસ સામે આવતા કોરોના પીક સ્પીડે આગળ વધી રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે.કોરોનાને લીધે વધુ 8 લોકોના મોત થયા જયારે એક્ટિવ કેસની સંખ્યા 63,610 પર પહોંચી ગઈ છે.હાલ કુલ 83 દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યા છે.
કયા જિલ્લામાં કેટલા કેસ?
જો જિલ્લા પ્રમાણે કોરોના કેસોની વાત કરીએ તો સૌથી વધુ અમદાવાદમાં 3315 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે સુરતમાં 2757 કેસ, વડોદરામાં 1242 કેસ, રાજકોટમાં 467 કેસ, ભાવનગરમાં 376 કેસ, ગાંધીનગરમાં 264 કેસ,જામનગરમાં 234 કેસ, જુનાગઢમાં 52 કેસ મોટા શહેરોમાં સામે આવ્યા છે. તો વલસાડમાં 283 કેસ, કચ્છમાં 157 કેસ, ભરૂચમાં 130 કેસ, આણંદમાં 114 કેસ, નવસારીમાં 97 કેસ, મોરબીમાં 90 કેસ, મહેસાણામાં 85 કેસ, પાટણમાં 84 કેસ, ગીર સોમનાથ 83, દ્વારકામાં 55 કેસ, બનાસકાંઠામાં 54 કેસ, સુરેન્દ્રનગરમાં 54 કેસ, ખેડામાં 35 કેસ, અમરેલીમાં 34 કેસ, દાહોદમાં 17 કેસ, સાબરકાંઠામાં 15 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે.