હવાઇ મુસાફરી માટે RTPCR રિપોર્ટ ફરજિયાત કરાતાં વડોદરામાં બોગસ રિપોર્ટ કાઢી આપતા ભેજાબાજો સક્રિય થયા છે. તેઓ માત્ર રૂા. 600માં કોરોના પોઝિટિવ દર્દીનો કોઇપણ ટેસ્ટ વિના માત્ર આધાર કાર્ડ આધારે નેગેટિવ રિપોર્ટ કાઢી આપે છે. 50થી વધુ લોકો આવો બોગસ રિપોર્ટ કઢાવી યુકે, અમેરિકા સહિતના દેશોમાં પહોંચી ગયા હોવાનો દાવો ખુદ ભેજાબાજે કર્યો હતો.
600 રૂપિયામાં કાઢી આપતો બોગસ રિપોર્ટ
વડોદરામાં કોરોનાના રિપોર્ટ નેગેટિવ કાઢી આપવાનું કૌભાંડમાં હરદેવ વાળાના નામનો શખ્સ 600 રૂપિયામાં બોગસ RT-PCRનો નકલી રિપોર્ટ બનાવતો હતો. શખ્સ SSG હોસ્પિટલમાં સ્ટાફ હોવાનો દાવો કર્યો હતો. તપાસમાં માલુમ પડ્યુ કે, શખ્સ લોકોને દેશ-વિદેશમાં મુસાફરી માટે રિપોર્ટ નેગેટિવ કાઢી આપતો હતો. અત્યાર સુધી તેના નકલી રિપોર્ટના માધ્યમ 50થી વધુ લોકો UK, US, કેનેડા અને ફ્રાન્સ પહોંચી ગયા છે. આ ભેજાબાજ સ્ટર્લિંગ એક્યુરિસ લેબના નામનો રિપોર્ટ આપતો હતો
સળગતાં સવાલો
01.કોરોના નેગેટિવ રિપોર્ટ કાઢી આપતા ભેજાબાજો કેટલા?
02.નેગેટિવ રિપોર્ટ કઢી બીજા પર જોખમ શા માટે ઉભું કરો છો?
03.વિદેશમાં જવા માટે નકલી રિપોર્ટ શા માટે?
04.શું તમે સાચો રિપોર્ટ કરાવી વિદેશ ના જઇ શકો?
05.નેગેટિવ રિપોર્ટ કાઢી આપવામાં કોની કોની સંડોવણી?
06.શું નેગેટિવ રિપોર્ટ કઢાવનાર અને આપનાર સામે કાર્યવાહી થશે?