23 મેના રોજ રવિવારના દિવસે તમે NEFTની મદદથી ફંડ ટ્રાન્સફર કરી શકશો નહીં. આ સૂચના ભારતીય રિઝર્વ બેંકે આપી છે.
NEFTની મદદથી ફંડ ટ્રાન્સફર કરી શકશો નહીં
RBIએ આપ્યું કારણ
23મેના રોજ 14 કલાક સુધી નહીં મળે બેંકની આ ખાસ સુવિધા
આરબીઆઈએ ઘરે બેઠા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરનારા માટે ખાસ સૂચના આપી છે, જેમા કહેવાયું છે કે તમે 23 મેના રોજ રવિવારે NEFTની મદદથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન નહીં કરી શકો. તમામ બેંક ગ્રાહકોને આ સૂચના આપવામાં આવી છે.
આરબીઆઈએ કહી છે આ વાત
આરબીઆઈએ કહ્યું છે કે એનઈએફટીની સેવા રાતે 12 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી બંધ રહેશે એટલે કે 23 તારીખે રવિવારે 14 કલાક સુધી NEFTની સર્વિસ કામ કરશે નહીં. ડિજિટલ ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલા કામ શનિવારે પતાવી લો તે જરૂરી છે. આ સાથે એમ પણ કહેવાયું છે કે 23મેના રોજ 14 કલાક માટે આ સર્વિસ કામ નહીં કરે. ટેકનિકલ અપડેશન બાદ આ સેવા ફરીથી સુચારુ રીતે કામ કરશે.
RTGS નહીં થાય પ્રભાવિત
આરબીઆઈએ કહ્યું છે કે NEFT સર્વિસમાં રવિવારે અવરોધ આવી શકે છે માટે પોતાની રીતે પેમેન્ટ પ્લાન કરીને ગ્રાહકોને સૂચિત કર્યા છે. કેન્દ્રીય બેંકે કહ્યં કે આ સમયે આરટીજીએસની સેવા પ્રભાવિત થશે નહીં અને તે કામગીરી ચાલુ રહેશે.
18 એપ્રિલે આરટીજીએસ સિસ્ટમ કરાઈ હતી અપડેટ
આ પહેલા આરટીજીએસ સિસ્ટમને 18 એપ્રિલે અપડેટ કરાઈ હતી. NEFT એક પેમેન્ટ સિસ્ટમ છે. જેમાં એક એકાઉન્ટથી અન્ય એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાય છે. આ એક સુરક્ષિત સિસ્ટમ છે અને કોઈ પણ બેંકની બ્રાન્ચમાં આ સુવિધાની મદદથી રૂપિયા ટ્રાન્સફર કરી શકાય છે. બેંક જવાની જરૂર રહેતી નથી. આ સાથે તેમાં ફંડ ટ્રાન્સફર માટે કોઈ ન્યૂનતમ સીમા પણ નક્કી કરાઈ નથી.