નવી દિલ્હી: NEETની પરીક્ષાને લઈને કેદ્ર સરકારે પોતાનો નિર્ણય બદલ્યો છે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને સરકારે પોતના નિર્ણયમાં ફેરફાર કર્યો છે. હવે ગયા વર્ષની જેમ જ NEETની પરીક્ષા લેવાનો નિર્ણય કેદ્ર સરકારે કર્યો છે.
નીટનું વર્ષમાં એક વખત થવા સાથે પરીક્ષાનું આયોજન પેન અને પેપરના માધ્યમથી કરવામાં આવશે. જો કે થોડાક દિવસ પહેલા જ માનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે પરહેલા વર્ષમાં ઉમેદવાર પેન અને પેપરનો ઉપયોગ કરી શકશે અને પેપર ઓનલાઇન નહીં હોય પરંતુ પેપર કોમ્પ્યૂટર પર અપલોડ કરવામાં આવશે.
HRDના સ્વાસ્થ્ય મંત્રાલયની ભલામણ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ સરકારે નિર્ણય કર્યો હતો કે વર્ષમાં બે વાર અને ઓનલાઈન NEETની પરીક્ષા યોજાશે. પરંતુ ઓનલાઈન પરીક્ષાથી ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓને નુકસાન થવાના ડરના કારણે આ નિર્ણયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.