17 જુલાઈના રોજ યોજાનારી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET UG પરીક્ષા 2022) તેના પોતાના સમય પર લેવામાં આવશે.
હાઈકોર્ટે વિદ્યાર્થીઓની દલીલોને ફગાવીને પરીક્ષા સ્થગિત કરવાનો કર્યો ઈન્કાર
અરજીમાં કોઈ યોગ્યતા નથી. આથી તેને ફગાવી દેવામાં આવે છે: જસ્ટિસ સંજીવ નરુલા
વિદ્યાર્થીઓને પરીક્ષાનો તણાવ હોવાથી પરીક્ષાઓ મુલતવી રાખી શકાય નહીં: હાઇકોર્ટ
NEET UG Exam 2022 પરીક્ષાને લઈ મોત સમાચાર સામે આવ્યા છે. 17 જુલાઈના રોજ યોજાનારી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET UG પરીક્ષા 2022) તેના પોતાના સમય પર લેવામાં આવશે. દિલ્હી હાઈકોર્ટે વિદ્યાર્થીઓની દલીલોને ફગાવીને પરીક્ષા સ્થગિત કરવાનો ઈન્કાર કરી દીધો છે. હાઈકોર્ટના જસ્ટિસ સંજીવ નરુલાએ ઠપકો આપતા કહ્યું કે, અરજીમાં કોઈ યોગ્યતા નથી. આથી તેને ફગાવી દેવામાં આવે છે. તેમના નિવેદન પછી, તે સ્પષ્ટ થઈ ગયું છે કે, NEET UG પરીક્ષા તેના પોતાના સમયપત્રક પર લેવામાં આવશે.
શું કહ્યું દિલ્હી હાઈકોર્ટે ?
આ અરજી પર સુનાવણી કરતી વખતે જસ્ટિસ સંજીવ નરુલાએ કહ્યું કે, આ એક ભ્રામક અરજી છે. કોર્ટ અરજદાર વિરુદ્ધ આદેશ આપવા માંગતી હતી પરંતુ તેઓ વિદ્યાર્થીઓ છે તેથી અમે તેમ નથી કરી રહ્યા પરંતુ જો આવી અરજીઓ ફરીથી દાખલ કરવામાં આવશે તો કોર્ટ દંડ ફટકારવામાં અચકાશે નહીં. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓને પરીક્ષાનો તણાવ હોવાથી પરીક્ષાઓ મુલતવી રાખી શકાય નહીં. આને દૂર કરવા માટે તેઓએ અભ્યાસ કરવો જોઈએ.
Delhi High Court dismisses a petition filed by 15 medical aspirants seeking direction to the Centre, National Testing Agency (NTA) and others to postpone the National Eligibility cum Entrance Test-Undergraduate (NEET-UG) scheduled to be held on July 17. pic.twitter.com/AAbPcGFWLh
અરજદારોના વકીલે કહ્યું કે આ પરીક્ષામાં 18 લાખ ઉમેદવારો બેસવાના છે જેમાંથી 17એ આત્મહત્યા કરી લીધી છે. પરીક્ષાની તૈયારી કરવા માટે પૂરતો સમય મળતો નથી, તેથી ટેન્શન વધી રહ્યું છે. તેના પર હાઈકોર્ટે પૂછ્યું કે, શું આપઘાત પાછળ અન્ય કોઈ કારણ હોઈ શકે છે ? જ્યારે NTAએ એપ્રિલમાં જ પરીક્ષાનું શેડ્યૂલ જાહેર કર્યું ત્યારે તમે અત્યાર સુધી શું કરી રહ્યા હતા ?
અરજદારના વકીલે શું દલીલ કરી ?
NEET મુલતવી રાખવાની માંગ પર અરજદારે દલીલ કરી હતી કે, એપ્રિલ પછી, બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ જે જૂન મહિના સુધી ચાલુ રહેશે. થોડા સમય પછી NEET પરીક્ષાનું શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું. આ પરીક્ષામાં 18 લાખ ઉમેદવારો બેસવાના છે જેમાંથી 17એ આત્મહત્યા કરી લીધી છે. પરીક્ષાની તૈયારી કરવા માટે પૂરતો સમય મળતો નથી, તેથી ટેન્શન વધી રહ્યું છે.