NEET PG કાઉન્સેલિંગ 2021 માટે સુપ્રીમ કોર્ટ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ હવે તે આવતા સપ્તાહથી શરૂ થઈ શકે છે. સૂત્રોએ આ અંગે માહિતી આપી છે.
NEET-PG 2021 કાઉન્સેલિંગની ક્યારે થશે શરૂઆત?
સુપ્રીમની લીલીઝંડી બાદ આવ્યા મોટા સમાચાર
આવતા અઠવાડિયાથી થઈ શકે શરૂ
હકીકતમાં, NEET PG 2021 કાઉન્સેલિંગ અને આરક્ષણના મામલે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય આપતાં NEET PG કાઉન્સેલિંગ 2021ને મંજૂરી આપી દીધી છે. એટલે કે હવે મેડિકલ પીજી એડમિશન 2021 માટે NEET PGનું કાઉન્સેલિંગ શરૂ કરી શકાશે. આવી સ્થિતિમાં, સમાચાર એજન્સી ANI અનુસાર, આગામી સપ્તાહથી કાઉન્સેલિંગ શરૂ થઈ શકે છે.
સરકારે પણ હડતાળ પર ઉતરેલા ડોક્ટરોની સ્વીકારી માગ
અગાઉ, NEET-PG કાઉન્સેલિંગમાં વિલંબના વિરોધમાં રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા હતા. તેમની 14-દિવસીય હડતાલ ગયા શુક્રવારે સમાપ્ત થઈ જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 6 જાન્યુઆરીએ કોર્ટની સુનાવણી પછી તરત જ NEET-PG કાઉન્સેલિંગ પ્રોગ્રામ સાથે આવવાની ખાતરી આપી. રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશને પણ વિરોધ કરી રહેલા કેટલાક ડોક્ટરો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ્દ કરવાની માંગ કરી હતી. સરકારે પણ આ માંગણી સ્વીકારી લીધી હતી.
તે જ સમયે, સુપ્રીમ કોર્ટે NEET PG 2021 માં OBC અનામત અને EWS ક્વોટા પર પણ નિર્ણય આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે અન્ય પછાત વર્ગો (OBC) વિદ્યાર્થીઓ માટે 27 ટકા અનામત અને આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે 10 ટકા અનામતની માન્યતાને સમર્થન આપ્યું હતું.
કોર્ટે નિર્ણયમાં શું કહ્યું?
જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને એએસ બોપન્નાની બેન્ચે કહ્યું કે વર્ષ 2021-22 માટે NEET PG માટે કાઉન્સેલિંગ અગાઉના માપદંડો પર આધારિત હશે. બેન્ચે કહ્યું કે આગામી વર્ષોમાં EWS માટે આઠ લાખની આવકના માપદંડની માન્યતા અંગેનો નિર્ણય અરજીઓની સુનાવણી પછી જ લેવામાં આવશે. બેન્ચે અરજીઓની સુનાવણી માટે 5 માર્ચની તારીખ નક્કી કરી છે.
શું હતો સમગ્ર મામલો?
કેન્દ્ર સરકારે NEET PG 2021માં 27 ટકા OBC અને 10 ટકા EWS અનામત આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આ આરક્ષણ સંબંધિત નોટિસ જુલાઈમાં જારી કરવામાં આવી હતી, જ્યારે NEET PG 2021 માટેની અરજીઓ બંધ કરવામાં આવી હતી. પરીક્ષા એપ્રિલમાં યોજાવાની હતી, પરંતુ કોરોનાને કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારબાદ સપ્ટેમ્બર 2021માં લેવામાં આવી હતી. વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા હતા કે આ શૈક્ષણિક સત્ર એટલે કે મેડિકલ પીજી એડમિશન 2021થી OBC અને EWS આરક્ષણનો અમલ થવો જોઈએ નહીં