કેન્દ્રીય ખેલ મંત્રાલયે ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપડ઼ા સહિત 11 ખેલાડીઓ માટે ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારની જાહેરાત કરી છે.
નીરજ ચોપડા સહિત 11 ખેલાડીઓને મળશે
ખેલરત્ન પુરસ્કાર માટે 11 ખેલાડીઓના નામની પસંદગી
35 ખેલાડીઓની અર્જુન ઍવોર્ડ માટે પસંદગી
નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ કમિટીએ ખેલ જગતના સૌથી મોટા અને પ્રતિષ્ઠિત ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર માટે 11 ખેલાડીઓ તથા અર્જુન એવોર્ડ માટે 35 ખેલાડીઓની પસંદગી કરી છે.
Olympic champion Neeraj Chopra and silver medal-winning wrestler Ravi Dahiya among 11 athletes picked for Khel Ratna award for year 2021
ભાલા ફેંકમાં ભારતનાં સ્ટાર નીરજ ચોપડાએ ઈતિહાસ રહ્યો હતો. ટોક્યો ઑલિમ્પિક્સમાં ભારતને ગોલ્ડની આશા માત્ર નિરજ પાસેથી જ બચી હતી જે નીરજે સાકાર કરી હતી. નીરજે ઑલિમ્પિક્સમાં જે રીતે ભાલો ફેંક્યો તે જોઈને વિશ્વનાં ધુરંધરો પણ હેરાન થઈ ગયા હતા, પહેલા જ રાઉન્ડથી નિરજ ટોપ પર રહ્યા અને 6 રાઉન્ડ સુધી તેમના સ્કોરને કોઈ અડી પણ ન શક્યું. આ ગોલ્ડ મેડલ નીરજ ચોપડાએ દિવગંત મિલ્ખા સિંહને સમર્પિત કર્યો હતો. ઑલિમ્પિકની આ વ્યક્તિગત સ્પર્ધામાં ભારતને 13 વર્ષ બાદ બીજો ગોલ્ડ મળ્યો હતો. આ પહેલા ઓલમ્પિક 2008માં ગોલ્ડ મેડલ દિગ્ગજ શુટ અભિનવ બિન્દ્રાએ મેળવ્યો હતો.
ખેલરત્ન મેળવનાર અવની લેખરાનું અમદાવાદ કનેક્શન
ટૉક્યો ખાતે પેરાલિમ્પિકમાં ભારત માટે અવની લેખરાએ સૌપ્રથમ ગોલ્ડ મેડલ અપાવી વિશ્વભરમાં દેશનું નામ રોશન કર્યુ હતું. આવામાં ગુજરાત માટે વિશેષ ગૌરવ પ્રાપ્ત કરવાનો અવસર મળ્યો હતો કારણ કે અવનીની આ સુવર્ણ સિદ્ધિમાં અમદાવાદ કનેક્શન છે. અવનીએ જે શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે તે શૂટિંગની તાલીમ આપનાર કૉચ અમદાવાદની સંસ્કારધામ સ્પોર્ટ્સ એકેડેમીના છે. અમદાવાદમાં બોપલ ખાતે આવેલી સંસ્કારધામ સ્પોર્સ્ટ્સ એકેડમીના રાફઈલ હેડ કોચ જીવનલાલ રાયે પેરાલિમિક્સમાં ગોલ્ડ જીતનારી શૂટર અવની લેખરાને તાલીમ આપી હતી.
Shooter Avani Lekhara among 5 para athletes to get Khel Ratna, cricketer Shikhar Dhawan among 35 selected for Arjuna award
અર્જુન એવોર્ડ માટે 35 ખેલાડીઓની પસંદગી
મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારની સાથે સાથે અર્જુન એવોર્ડની પણ જાહેરાત કરવામાં આવી છે. અર્જુન એવોર્ડ માટે કુલ 35 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.